SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રીમદ્ રાજચંદ્ર આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કઈ પણ કપના “સત’ જણાતી નથી, અને સતની નજીક સંભવતી નથી. “સત” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે કલ્પનાથી “પર” (આ) છે, માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, તેણે પિતે કંઈ જ જાણતું નથી એ દ્રઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરે, અને પછી “સની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચને લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે અને એને સમ્યફ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્રદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બેધનું બીજ સંક્ષેપે કહ્યું છે, માટે ફરી ફરીને તેને સંભાર, વિચારજો; સમજજે, સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારમાં ઉદાસીન રહેજે; એમાં જ વૃત્તિને લય કરજે. એ તમને અને કઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાને અમારે મંત્ર છે, એમાં “સ” જ કહ્યું છે એ સમજવા માટે ઘણો જ વખત ગાળજે. - ૨૧૨ મુંબઈ, માહ વદ, ૧૯૪૭ સને નમોનમઃ વાંછા-ઈચ્છાના અર્થ તરીકે “કામ” શબ્દ વપરાય છે, તેમ જ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. “અનન્ય” એટલે એના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જે બીજે નહીં એ ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. - મુમુક્ષુ વૈગમાર્ગના સારા પરિચયી છે, એમ જાણું છું. સવૃત્તિવાળા જોગ્ય જીવ છે. જે “પદને તમે સાક્ષાત્કાર પૂક્યો, તે તેમને હજુ થયે નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તે તે વિષે હાલ તે કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું. જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિને પૂર્વકાળમાં જીવને જોગ ઘણું વાર થઈ ગયું છે, પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત્ કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિાદિ, રિદ્વિગાદિ અને બીજી તેવી કામનાઓથી પિતાની દ્રષ્ટિ મલિન હતી; દ્રષ્ટિ જો મલિન હોય તે તેવી સંતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એ કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયેગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, બીજા પદાર્થોના સંગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એ જેને નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને છેડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. તમે બધાએ હાલ તે એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. “સજીવન મૂર્તિથી માર્ગ મળે એ ઉપદેશ કરતાં પિતે પિતાને બંધન કર્યું છે કે જે ઉપદેશને લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તે સજીવનમૂર્તિને દાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે? કે જે દશામાં કેવળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy