SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૬ સત્પુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં, અનંત નીચેનાં વાકયો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય છે, મેાક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે :— ૨૪૬ ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ બ્રેડ્યા વિના છૂટકો થવા નથી; તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમના અભ્યાસ કરવા યેાગ્ય જ છે એમ સમજવું. મુંબઇ, કાર્તિક સુદ ૬, ભેામ, ૧૯૪૭ આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? સત્પુરુષની સમ્મતિથી મંગળરૂપ માન્યાં ૨. કોઇ પણ પ્રકારે સદ્ગુરુને શેાધ કરવા; શેાધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અસ્પૃષુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તે જ સર્વ માયિક વાસનાના અભાવ થશે એમ સમજવું. ૩. અનાદ્દિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, ‘સત્' મળ્યા નથી, ‘સત્’ સુછ્યું નથી, અને ‘સત્' શ્રધ્યું નથી, અને એ મળ્યે, સુણ્યે, અને એ ધ્યે જ છૂટવાની વાર્તાના આત્માથી ભણકાર થશે. ૪. મોક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલા માર્ગ પમાડશે. ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયા નથી તે વિચારે. મુંબઈ, કારતક સુદ ૧૨, રિવ, ૧૯૪૭ ૧૬૭ સત્ હરિ ઇચ્છા સુખદાયક જ છે. નિવિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્ત્વનું દર્શન થાય છે, તે પરમતત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. ત્રિભાવનનું પત્તું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે. ધર્મજ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા ત્રણ સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશે, નહીં તેા નહીં. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશેા તે અમારી ઇચ્છાનુસાર થયું નથી એમ ગણજો. Jain Education International ધર્મજ જવાના પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશે તે સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે. અને તમે કબીરાદિ સંપ્રદાયમાં વતા છે એમ લેકચર્ચા થશે, અર્થાત્ તે કબીર સંપ્રદાયી તમે નથી, છતાં ઠરશેા. માટે કોઇ બીજો પ્રસંગ લઇ નીકળવું અને વચ્ચે ધર્મજ મેળાપ કરતા આવવું. ત્યાં પણ તમારા વિષે ધર્મ, કુળ એ વગેરે સંબંધી વધારે એળખાણ પાડવું નહીં. તેમ તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવા; ભિન્નભાવથી નહીં, માયા ભાવથી નહીં, પણ સસ્નેહભાવથી કરવા. મલાતજ સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયાજન નથી. ખંભાતથી ધર્મજ ભણી વિદાય થવા પહેલાં ધર્મજ એક પત્ર લખવા; જેમાં વિનય સમેત જણાવવું કે કોઈ જ્ઞાનાવતાર પુરુષની ઇચ્છા આપને સત્સંગ કરવા માટે અમને મળી છે જેથી આપના દર્શન માટે........તિથિએ આવશું. અમે આપને સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણુ અપ્રગટ રાખવી એવી તે જ્ઞાનાવતાર પુરુષે આપને, અને અમને ભલામણ આપી છે. તે આપ તે વાતને કૃપા કરી અનુસરશેા જ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy