SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ વર્ષ ૨૩ મું આ પ્રસંગ વળે. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શેડ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતે અને મારા અક્ષરની છટાથી કચ્છદરબારને ઉતારે મને લખવા માટે બેલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તક વાંચ્યા છે; રામ ઇત્યાદિકનાં ચરિત્ર પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કઈને મેં એ છેઅધિકે ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅધિકું તેળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે. મુંબઈ, કારતક, ૧૯૪૬ બે પ્રકારે વહેંચાયેલે ધર્મ, તીર્થંકરે બે પ્રકારને કહ્યો છે -- ૧. સર્વસંગપરિત્યાગી. ૨. દેશપરિત્યાગી. સર્વ પરિત્યાગી :– ભાવ અને દ્રવ્ય. તેને અધિકારી. પાત્ર, ક્ષેત્ર, કાળ, ભાવ. પાત્ર— વૈરાગ્યાદિક લક્ષણો, ત્યાગનું કારણ અને પારિણમિક ભાવ ભણી જેવું. ક્ષેત્રજ તે પુરુષની જન્મભૂમિકા, ત્યાગભૂમિકા એ છે. કાળ– અધિકારીની વય, મુખ્ય વર્તતે કાળ. ભાવ– વિનાદિક, તેની યેગ્યતા, શક્તિ. તેને ગુરુએ પ્રથમ શું ઉપદેશ કર? દશવૈકાલિક”, “આચારાંગ ઇત્યાદિ સંબંધી વિચાર; તેની નવદીક્ષિત કારણે તેને સ્વતંત્ર વિહાર કરવા દેવાની આજ્ઞા ઈ. નિત્યચર્યા. વર્ષ ક૯૫. છેલ્લી અવસ્થા. (એ સંબંધી પરમ આવશ્યકતા છે.) દેશયાગી :– અવશ્ય ક્રિયા. નિત્ય ક૯૫. ભક્તિ . આણુવ્રત. દાન-શીલ-તપ-ભાવનું સ્વરૂપ. જ્ઞાનને માટે તેને અધિકાર (એ સંબંધી પરમ આવશ્યકતા છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy