SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૨ મું ૧૮૧ છે તેમ છું. સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. ધર્મસંબંધી મારી વર્તન તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દ્રશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહોતી. પૂછતાં કહી શકાય તેવી પણ નથી. સહજ ઉત્તર આપવો ઘટે તે આખે છે. શું થાય છે અને પાત્રતા કયાં છે એ જોઉં છું. ઉદય આવેલાં કર્મો ભેગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યું હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે. બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહે. પ્રયને જેમ આત્મા ઊર્ધ્વગતિને પરિણામી થાય તેમ કરો. સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામહનીયનું બળ છે. વિટ રાયચંદના સપુરુષને નમસ્કાર સહિત પ્રણામ. ૫૧ વવાણિયા બંદર, માહ વદ ૭, ૧૯૪૫ નીરાગી પુરુષોને નમસ્કાર , ઉદય આવેલાં કર્મોને ભેગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવે એ સપુરુષને મહાન બેધ છે. આત્માભિલાષી,— જે ત્યાં તમને વખત મળતું હોય તે જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશે, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશે. (કેઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશેકમાં નહીં પડતાં ભેગબે છૂટકે છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણું સમભાવની શ્રેણિ વધારતા રહેશો. વિશેષ લખતાં અત્યારે અટકું છું. વિ. રાયચંદના સપુરુષને નમસ્કાર સમેત પ્રણામ વાંચશે. પર વવાણિયા બંદર, માહ વદ ૧૦, સોમ, ૧૯૪૫ નીરાગી પુરુષોને નમસ્કાર આત્મહિતાભિલાષી આજ્ઞાંતિ, તમારે આત્મવિચારભરિત પત્ર ગઈ પ્રભાતે મ. નિગ્રંથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રેમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બધા માટે કંઈ પણ નહીં કહી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણું આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજવળ શુક્લ દયાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો! એ જ પરમાત્માનાં ગબળ આગળ પ્રયાચના ! દયાળભાઈએ દર્શાવ્યું તે પ્રમાણે તમે લખ્યું છે, અને હું માનું છું કે તેમ જ હશે. દયાળભાઈ સહર્ષ પત્ર લખે એમ તેમને કહેશે અને ધર્મધ્યાન ભણી પ્રવૃત્તિ થાય એ કર્તવ્યની ભલામણ આપશે. “પ્રવીણસાગર” માટે કંઈ ઉત્તર નથી તે લખશો. જેમ બને તેમ આત્માને ઓળખવા ભણું લક્ષ દે એ જ માગણી છે. કવિરાજ–તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy