SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૨ મું ૧૯૯ લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળા વર્તે છે. તેથી ધાર્યાં હતા તેના આઠમા ભાગના પણ ઉત્તર લખી શકતા નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશે કે એક ભવના થાડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાના પ્રયત્ન સત્પુરુષો કરે છે. સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તેા પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવા ? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ. સત્પુરુષનું યાગખળ જગતનું કલ્યાણ કરે. એમ ઇચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. લિ॰ માત્ર રવજી આત્મજ રાયચંદના પ્રણામ——નીરાગ શ્રેણી સમુચ્ચયે. ૪૮ જિજ્ઞાસુ, આપના પ્રશ્નના ઉત્તર, મારી યાગ્યતા પ્રમાણે, આપના પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્ન :— - વ્યવહારશુદ્ધિ કેમ થઈશકે? ઉત્તર :~ વ્યવહારશુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે; છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું ચેાગ્ય છે કે આ લોકમાં સુખનું કારણુ અને પરલેાકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિઃશંક છે. વવાણિયા, માહ, ૧૯૪૫ ૧. જેને ધર્મ સંબંધી કંઇ પણ એધ થયા છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. ૨. જેને ધર્મ સંબંધી બેધ થયા છે, છતાં સ્થિતિનું દુઃખ હોય તેા અનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમેથી સંબંધ નથી. ) ૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછ્યું. તે ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણુ પ્રતિકૂળ ભાગ આવતા હાય, કિંવા પારિણામિક લાભને હાનિ પહેાંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તે મનને સંતેાષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હેાય તે અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. ૪. પરિણામે આર્ત્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે. ૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઇએ. મનને જેથી સુખ હતું નથી તેથી કાયાને કે વચનને ન હેાય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. Jain Education International ૬. ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર ( અસત્ય અને સહજ માયા ) સેવવે પડે તે મહાશેાચથી સેવવેા, પ્રાયશ્ચિત્ત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દેષ ન આવવા જોઇએ : ૧ કાઈથી મહા વિશ્વાસઘાત ૨ મિત્રથી વિશ્વાસઘાત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy