SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૨ મું ૧૭૭ ૪૩ મુંબઈ, માર્ગશીર્ષ વદિ ૭, ભેમ, ૧૯૪૫ જિનાય નમઃ સુર, આપને પત્ર સુરતથી લખેલે મને આજ રોજ સવારના અગિયારે મલે. તેમાંની વિગતથી એક પ્રકારે શેચ થયે, કારણ આપને નિષ્ફળ ફેરે થયે. જોકે મેં આગળથી હું સુરત ઘેડું રોકાવાને છું, એમ દર્શાવવાને એક પતું લખ્યું હતું તે આપને વખતસર હું કહ્યું છું કે નહીં મલ્યું હેય. હશે હવે આપણે થોડા વખતમાં દેશમાં મલી શકીશું. અહીં હું કંઈ બહુ વખત રોકાવાને નથી. આપ ધીરજ ધરશે, અને શેઅને ત્યાગશે, એમ વિનંતી છે. મળવા પછી હું એમ ઈચ્છું છું કે, આપને પ્રાપ્ત થયેલે નાના પ્રકારને ખેદ જાઓ ! અને તેમ થશે. આપ દિલગીર ન થાઓ. A સાથેનું ચિત્ર ની વિનંતિરૂપ પત્ર મેં વાંચ્યું હતું. તેઓને પણ ધીરજ આપે. બન્ને ભાઈઓ ધર્મમાં પ્રવર્તન કરે. - મારા ભણું મેહદશા નહીં રાખે. હું તે એક અલ્પ શક્તિવાળે પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક પુરુષે ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરે. તેઓને પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરે એ મારી નિરંતર પ્રાર્થના છે. બન્ને સાથે મળી આ પત્ર વાંચશે. ઉતાવળ હેવાથી આટલેથી અટકું છું. લિ. રાયચંદન પ્રણામ વાંચશે. ૪૪ મુંબઈ, માગશર વદ ૧૨, શનિ, ૧૯૪૫ સુરા, * વિશેષ વિદિત થયું હશે. હું અહીં સમયાનુસાર આનંદમાં છું. આપને આત્માનંદ ચાહું છું. ચિ૦ જૂઠાભાઈની આરોગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશે. હું પણ હવે અહીં થોડો વખત રહેવાને છું. જ એક મોટી વિજ્ઞપ્તિ છે, કે પત્રમાં હમેશાં શાચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશે. વિશેષ હવે પછી. રાયચંદના પ્રણામ. મુંબઈ, માગશર વદ )), ૧૯૪૫ સુર, " જુઠાભાઈની સ્થિતિ વિદિત થઈ. હું નિરુપાય છું. જે ન ચાલે તે પ્રશસ્ત રાગ રાખે, પણ મને પિતાને, તમ સઘળાને એ રસ્તે આધીન ન કરે. પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરે. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાનું નથી. વિ૦ રાયચંદના પ્રણામ. માગશર, ૧૯૪૫ તમારે પ્રશસ્તભાવભૂષિત પત્ર મળે. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધે. મારા પર પ્રશસ્તભાવ આણે એવું હું પાત્ર નથી, છતાં જે તમને એમ આત્મશાંતિ થતી હોય તે કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy