SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રીમદ્ રાજચંદ્ર ૧. કોઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. ૨. પ્રથમ પ્રતિમા નહીં માનતે અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી. ૩. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે; અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. ૪. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારે કૃપા કરીને લક્ષમાં લેવા :– (અ) તમે પણ તરવાના ઈચ્છક છે, અને હું પણ છું; બને મહાવીરના બેધ, આત્મહિતેષી બધને ઈચ્છીએ છીએ અને તે ન્યાયમાં છે માટે જ્યાં સત્યતા આવે ત્યાં બનેએ અપક્ષપાતે સત્યતા કહેવી. (આ) કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી, તે સંબંધી કંઈ કહેતાં મૌન રાખવું. (ઈ) અમુક વાત સિદ્ધ થાય તે જ ઠીક; એમ ન ઈચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઈરછવું. પ્રતિમા પૂજવાથી જ મેક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મેક્ષ છે; એ બન્ને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું. (ઈ) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિંવા પિતાના મનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. (ઉ) એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પિતાની વાતને મધ્યસ્થવૃત્તિમાં રોકી રાખવી. (ઊ) કેઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મેક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિસંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ ; તે પક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાંખવા યોગ્ય નથી. (એ) જે તમે પ્રતિમાને માનનાર હો તે તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તે આ પ્રમાણેને યેગ્ય રીતે વિચારી જોજો. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માન નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જ. (એ) આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તે અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં બધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઈચ્છશે. (ઓ) એટલા જ માટે વીરનાં બધેલાં શાસ્ત્રો કેને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે, એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. (ઔ) મને સંસ્કૃત, માગધી કે કઈ ભાષાને મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણી, મને અપ્રમાણિક ઠરાવશે તે ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy