SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૧ મું ૧૭૩ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપાતાની ગાય છે. પછી તે સાચી કે જૂડી તેના કોઈ ભાવ પૂછ્યું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકા કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશેાધક આત્મા હશે તે તેને અપ્રયેાજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયામાં શંકાએ કરી રેકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાના આત્મા સમપ્ટેમ્પ્સ છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તે દર્શનની દશા જોઈ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશેા તે આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. એ સઘળા મતામાં કેટલાકને તે સહજ સહજ વિવાદ્ય છે. મુખ્ય વિવાદ :– એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. ખીજા તેને કેવળ ઉત્થાપે છે (એ મુખ્ય વિવાદ છે). ખીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયા હતા. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પુજન શાસ્ત્રોક્ત, પ્રમાણાક્ત, અનુભવાક્ત અને અનુભવમાં લેવા યેાગ્ય છે. મને તે પદાર્થના જે રૂપે એધ થયા અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તે તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભાષિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચાર પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરે એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તે તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે :~ કેટલાંક પ્રમાણેા આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જો તમે કહેતા હો તે આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું; પણ તેમાં કલ્યાણુ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણુથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હેાત તેા ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. ૧. આગમપ્રમાણુ. ૨. ઇતિહાસપ્રમાણ. ૩. પરંપરાપ્રમાણુ. ૪. અનુભવપ્રમાણુ. ૫. પ્રમાણુપ્રમાણુ. ૧. આગમપ્રમા આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેના પ્રતિપાદક મૂળ પુરુષ આસ હાય વચન જેમાં રહ્યાં છે તે આગમ છે. વીતરાગ દેવના એધેલા અર્થની ચાજના ગણધરાએ કરી ટૂંકામાં મુખ્ય વચનાને લીધાં; તે આગમ, સૂત્ર એ નામથી આળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ ખીજાં તેનાં નામ છે. તીર્થંકર દેવે ખાધેલાં પુસ્તકાની યેાજના દ્વાદશાંગીરૂપે ગણુધરદેવે કરી, તે ખાર અંગનાં નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, અને દૃષ્ટિવાદ. X * X Jain Education International For Private & Personal Use Only X www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy