SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ X વર્ષ ર૦ મું જ્ઞાન-રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન તાસ નિકટ કહે કર્યો રહે, મિથ્યાતમ દુઃખ જાન. જીવ! સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યને પ્રકાશ થયો છે, અને જેના હૃદયમાં વૈરાગ્યરૂપી ચંદ્રને ઉદય થયે છે; તેને સમીપ કેમ રહે – શું ? મિથ્યા ભ્રમરૂપી અંધકારનું દુઃખ. જૈસે કંચુક ત્યાગસે, બિનસત નહીં ભુજંગ; દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ. જેમ કાંચળીને ત્યાગ કરવાથી સર્પ નાશ પામતું નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતું નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહને નાશ થવાથી જીવને પણ નાશ થાય છે એમ કહે છે, તે માત્ર વિકપરૂપ છે પણ પ્રમાણભૂત નથી; કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પને પણ નાશ થયેલે સમજે છે, અને એ વાત તે પ્રત્યક્ષ છે કે સપને નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે. દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્ષના સંબંધમાં છે, ત્યાં સુધી જેમ સર્ષ ચાલે છે, તેમ તે તેની સાથે ચાલે છે તેની પેઠે વળે છે અને તેની સર્વ કિયાઓ સર્ષની કિયાને આધીન છે. સર્વે તેને ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એક ક્રિયા કાંચળી કરી શકતી નથી; જે ક્રિયામાં પ્રથમ તે વર્તતી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી, એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી. એમ જ દેહ પણ જેમ જીવ કમનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે ચાલે છે, બેસે છે, ઊઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેને વિયેગ થવા પછી કાંઈ નથી; [‘અપૂર્ણ ] ૨૩ જીવતત્વસંબંધી વિચાર એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર પ્રકારથી, પાંચ પ્રકારથી અને છ પ્રકારથી જીવતત્વ સમજી શકાય છે. સર્વ જીવને ઓછામાં ઓછે શ્રુતજ્ઞાનને અનંતમો ભાગ પ્રકાશિત રહેલ હેવાથી સર્વ જીવ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે. ત્રસ એટલે તડકામાંથી છાંયામાં આવે, છાંયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળા હેય, ભય દેખીને ત્રાસ પામતાં હોય તેવી એક જાતિ, અને બીજાં એક જ સ્થળે સ્થિતિવાળાં હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ; એમ બે પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે. સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તે સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓને સમાવેશ થાય છે. કેઈ સ્ત્રીવેદમાં, કેઈ પુરુષવેદમાં અને કેઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચે વેદ નહીં હોવાથી ત્રણ પ્રકારે વેદષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે. ૧. નવ તત્વ પ્રકરણ, ગાથા ૩. एगविह दुविह तिविहा, चउव्विहा, पंच छव्विहा जीवा । રેવળત્તર- દં, વેર–પાછું-વળ-&T | ૩ | ભાવાર્થ – જી અનુક્રમે ચેતનરૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના છે, વેદરૂપે ત્રણ પ્રકારના, ગતિ વડે ચાર પ્રકારના, ઈન્દ્રિય વડે પાંચ પ્રકારના અને કાયના ભેદ વડે છે પ્રકારના પણ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy