SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રીમદ્ રાજચંદ્ર અનાદિપણું જતું રહે છે એ છઠ્ઠી શંકા. કેવળ ધ્રુવ વિઘરૂપે છે એમ કહો તે ચાવકમિશ્ર વચન થયું એ સાતમે દેષ. ઉત્પત્તિ અને વિરૂપ કહેશે તે કેવળ ચાર્વાકન સિદ્ધાંત એ આઠમે દોષ. ઉત્પત્તિની ના, વિન્નતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી એના પુનઃરૂપે છ દોષ. એટલે સરવાળે ચૌદ દોષ. કેવળ ધ્રુવતા જતાં તીર્થંકરનાં વચન ત્રુટી જાય એ પંદર દેષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સર્વજ્ઞ વચન ત્રુટી જાય એ સેળ દોષ. ઉત્પત્તિ વિદ્વરૂપે પાપપુણ્યાદિકને અભાવ એટલે ધમધર્મ સઘળું ગયું એ સત્તરમે દેષ. ઉત્પત્તિ વિ અને સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમે દેષ. શિક્ષાપાઠ ૮૯ તત્ત્વાવબોધ-ભાગ ૮ એટલા દેષ એ કથને સિદ્ધ ન થતાં આવે છે. એક જૈનમુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા પછી યોજના કરતાં કરતાં આ લબ્ધિવાક્યની જીવ પર પેજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બન્ને ભાવ જીવ પર નહીં ઊતરી શકે. લબ્ધિવાકયો પણ લેશરૂપ થઈ પડશે. યદિ એ ભણું મારી કંઈ તિરસ્કારની દ્રષ્ટિ નથી. આના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અતિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શેલીથી નથી, એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય તેમ વળી હું કંઈ સ્યાદ્વાદ શૈલીને યથાર્થ જાણનાર નથી. મંદમતિથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અસ્તિ નય પણ આપે શૈલીપૂર્વક ઉતા નથી એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળે. ઉત્પત્તિમાં “ના” એવી જે પેજના કરી છે તે એમ, યથાર્થ થઈ શકે છે કે “જીવ અનાદિ અનંત છે. વિતામાં “ના” એવી જે પેજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે “એને કઈ કાળે નાશ નથી'. ' ધ્રુવતામાં ના એવી છે જેના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે એક દેહમાં તે સદેવને માટે રહેનાર નથી”. શિક્ષાપાઠ લ૦, તત્ત્વાવબોધ–ભાગ ૯ ઉત્પત્તિમાં છે એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવન મેક્ષ થતાં સુધી એક દેહમાંથી ચ્યવન પામી તે બીજા દેહમાં ઊપજે છે. વિઘતામાં “હા” એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યું ત્યાંથી વિદ્મ પામ્ય વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણ વડે રૂંધાઈ રહી છે, એ રૂપે વિઘતા પેજી શકાય છે. ધ્રુવતામાં “હા” એવી જે પેજના કહી છે તે એમ યથાર્થ થઈ શકે કે “દ્રવ્ય કરી જીવ કઈ કાળે નાશરૂપ નથી, ત્રિકાળ સિદ્ધ છે. હવે એથી કરીને જેલા દોષ પણ હું ધારું છું કે ટળી જશે. ૧. જીવ વિધરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલે દોષ ટળે. ૨. ઉત્પત્તિ, વિઘતા અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું એ બીજે દોષ ગ. ૩. જીવના સત્ય સ્વરૂપે ધ્રુવતા સિદ્ધ થઈ એટલે વિઘતા ગઈ. એ ત્રીજે દોષ ગયે. ૪. દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ એ થે દોષ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy