SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રહણ કરવા માટે તીર્થંકર ભગવંતને ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તેને ઉપદેશરુચિ કહીએ. એ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં. ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું. ૧. વાંચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તન, ૪. ધર્મકથા. ૧. વાંચના-એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્રસિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે સત્પરુષ સમીપે સૂત્ર તત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન. ૨. પૃચ્છનાઅપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતને માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારણને માટે તેમ જ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. ૩. પરાવર્તના પૂર્વ જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે શુદ્ધ ઉપગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સઝાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન. ૪. ધર્મકથા-વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષ કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છારહિતપણે, પિતાની નિર્જરાને અર્થે સભામળે તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સદહનાર બને ભગવંતની આજ્ઞાન આરાધક થાય. એ ધર્મધ્યાનનાં ચાર આલંબન કહેવાયાં. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું. ૧. એકવાનુપ્રેક્ષા, ૨. અનિત્યાનુપ્રેક્ષા, ૩. અશરણાનુપ્રેક્ષા, ૪. સંસારાનુપ્રેક્ષા. એ ચારેને બંધ બાર ભાવનાના પાઠમાં કહેવાઈ ગયે છે તે તમને સ્મરણમાં હશે. ( શિક્ષાપાઠ ૭૬. ધર્મધ્યાન-ભાગ ૩ ધર્મધ્યાન, પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરેએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિસ્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. જે જે નિયમ એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરેના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયે ભેદ પામ્યા; અથવા કયા ભેદ ભણું ભાવના રાખી છે? એ સેળ ભેદમાંને ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે, પરંતુ જેવા અનુક્રમથી લેવું જોઈએ તે અનુક્રમથી લેવાય છે તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. સૂત્રસિદ્ધાંતનાં અધ્યયને કેટલાક મુખપાઠ કરે છે તેના અર્થ, તેમાં કહેલાં મૂળતત્વે ભણી જે તેઓ લક્ષ પહોંચાડે તે કંઈક સૂમ ભેદ પામી શકે. કેળનાં પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાર્થને માટે છે. એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માર્ગને જે વીતરાગપ્રણીત તત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઊગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્રાવકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને પુરુષના સમાગમથી પિષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપે થશે. નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારે વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મધ્યાનના પૃથક પૃથફ સેળ ભેદ કહ્યા છે તેવા તત્વપૂર્વક ભેદ કેઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાને, મનન કરવાને, વિચારવાને, અન્યને બંધ કરવાને, શંકા, કંખા ટાળવાને, ધર્મકથા કરવાને, એકત્વ વિચારવાને, અનિત્યતા વિચારવાને, અશરણુતા વિચારવાને, વેરાગ્ય પામવાને, સંસારનાં અનંત દુઃખ મનન કરવાને અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લેકાલેકના વિચાર કરવાને અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy