SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૩ મું ૧૧૩ (વિપાકવિચય), ૪. સંટાળવિઝા (સંસ્થાનવિચય). ૧. આજ્ઞાવિચય– આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે; એમાં શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચછેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્વ આવતું નથી. પરંતુ અહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નીરાગી, ત્યાગી અને નિઃસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં, તેમ એઓ સર્વજ્ઞ અને સર્વદશી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી, ત્યાં એ સંબંધી મૃષા કયાંથી હોય? એવું જે ચિંતન કરવું તે “આજ્ઞાવિચય” નામે પ્રથમ ભેદ છે. ૨. અપાયવિચય– રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે “અપાયરિચય' નામે બીજે ભેદ છે. અપાય એટલે દુઃખ. ૩. વિપાકવિચય– હું જે જે ક્ષણેક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મધ્યાનને ત્રીજો ભેદ છે. ૪. સંસ્થાનવિચયત્રણ લેકનું સ્વરૂપ ચિંતવવું તે. લેકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત જનની કોટાનુકેટીએ તીર છે લેક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપ–સમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય, વાણવંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જઘન્ય તીર્થકર વીશ, ઉત્કૃષ્ટા એકસે સિત્તેર હોય; તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંદામિ, નમંસામિ, સકકારેમિ, સમાણેમિ, કલ્લાનું મંગલ, દેવયં, ચેઈયું, જુવાસામિ” એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ કરી તે તીરછા લેક થકી અસંખ્યાત ગણ અધિક ઊર્ધ્વલિક છેત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈષત પ્રભારી છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને “વંદામિ, યાવત્ પજજુવાસામિ.” તે ઊર્ધ્વલેથી કંઈક વિશેષ અલેક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લેકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યકત્વરહિત કરણીથી અસંતી વાર જન્મમરણ કરી સ્પશી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે “સંસ્થાનવિચય” નામે ધર્મધ્યાનને ચેથે ભેદ છે. એ ચાર ભેદ વિચારીને સમ્યક્ત્વસહિત શ્રત અને ચારિત્રધર્મની આરાધના કરવી, જેથી એ અનંત જન્મમરણ ટળે. એ ધર્મધ્યાનના ચાર ભેદ સ્મરણમાં રાખવા. શિક્ષાપાઠ ૭૫. ધર્મધ્યાન-ભાગ ૨ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહું છું. ૧. આજ્ઞારુચિ–એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઊપજે તે. ૨. નિસર્ગરચિ– આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાન કરી શ્રત સહિત ચારિત્રધર્મ ધરવાની રુચિ પામે તેને નિસગરુચિ કહે છે. ૩. સૂત્રરુચિ– શ્રુતજ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલાં ભગવાનનાં પવિત્ર વચનેનું જેમાં ગૂંથન થયું છે, તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઊપજે તે સૂત્રરુચિ. ૪. ઉપદેશરુચિ– અજ્ઞાને કરીને ઉપાજેલાં કર્મ જ્ઞાન કરીને ખપાવીએ, તેમજ જ્ઞાન વડે કરીને નવાં કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરીને ઉપાજ્ય કર્મ તે સમ્યફભાવથી ખપાવીએ, સમ્યભાવથી નવાં કર્મ ન બાંધીએ; અરાગ્યે કરીને ઉપાજ્ય કર્મ તે વૈરાગ્યે કરીને ખપાવીએ અને વૈરાગ્ય વડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કર્મ ન બાંધીએ; અશુભ યોગે કરી ઉપાજ્ય કર્મ તે શુભ યોગે કરી અપાવીએ, શુભ યેગે કરી નવાં કર્મ ન બાંધીએ; પાંચ ઇન્દ્રિયના સ્વાદરૂપ આસવે કરી ઉપાજ્ય કર્મ તે સંવરે કરી ખપાવીએ, તારૂપ સંવરે કરી નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસવમાર્ગ છાંડીને જ્ઞાનાદિક સંવર માર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy