SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રીમદ્ રાજચંદ્ર ફરતે ત્યાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી. જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માગ્યું. ભલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતેષા. પિતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનને પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધું. નગરમાં આવ્યા પછી ભલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખે. સુંદર મહેલમાં, કને અનેક અનુચરે, મનહર છત્રપલંગ અને સ્વાદિષ્ટ ભેજનથી મંદ મંદ પવનમાં સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપે. વિવિધ જાતિનાં હીરામાણેક, મૌક્તિક, મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મેકલ્યા કરે; બાગબગીચામાં ફરવા હરવા મેકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતા હતા. કોઈ રાત્રે બધાં સૂઈ રહ્યાં હતાં ત્યારે તે ભીલને બાળબચ્ચાં સાંભરી આવ્યા એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. જઈને પિતાનાં કુટુંબીને મળે. તે બધાએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતું? ભલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. કુટુંબીઓ–પણ તે કેવી? તે તે અમને કહે. ભલ–શું કહું, અહીં એવી એકે વસ્તુ જ નથી. - કુટુંબીઓ-એમ હેય કે? આ શંખલા, છીપ, કેડાં કેવાં મજાનાં પડ્યાં છે! ત્યાં કોઈ એવી જોવા લાયક વસ્તુ હતી ? ભીલ—નહીં, નહીં ભાઈ, એવી ચીજ તે અહીં એકે નથી. એના સેમા ભાગની કે હજારમાં ભાગની. પણ મને હર ચીજ અહીં નથી. કુટુંબીઓ– ત્યારે તે તું બેલ્યા વિના બેઠે રહે, તને જમણું થઈ છે, આથી તે પછી સારું શું હશે? હે ગૌતમ! જેમ એ ભીલ રાજભવસુખ ભોગવી આવ્યો હતે તેમજ જાણતે હેતે છતાં ઉપમા ગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતે નહોતે, તેમ અનુપમેય મેક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષનાં સુખના અસંખ્યાતમા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતું નથી. મોક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તે કુતર્કવાદી છે, એએને ક્ષણિક સુખસંબંધી વિચાર આડે સસુખને વિચાર નથી. કેઈ આત્મિકજ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાધ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શક્તા નથી, અને જાણવામાં આવે તે માત્ર સ્વોપાધિનું મિથ્યાપણું આવે; જેની કઈ અસર પણ થાય. એ સ્વમા વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂલ સર્વ જાણું અને દેખી શકાય; અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તે તેનું તે વર્ણન શું કરી શકે ? એને ઉપમા પણ શી આપે? આ તે સ્થૂળ દ્રષ્ટાંત છે; પણું બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. ભીલનું દ્રષ્ટાંત, સમજાવવા રૂપે ભાષાભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું. ( શિક્ષાપાઠ ૭૪. ધર્મધ્યાન-ભાગ ૧ . ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા ગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથપ્રવચનનું તત્ત્વ પામવા માટે, પુરુષોએ સેવવા ગ્ય, વિચારવા ગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે. પહેલા ચાર ભેદ કહું છું. ૨. આવિષય આજ્ઞાવિચય), ૨. વાયવિનય (અપાયવિચય), ૩. વિવારિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy