SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર અધિકાર કરતાં ઊલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીને પિતાની પત્ની પ્રત્યેનો પ્રેમ એટલે છે, તેટલે જ બલકે તેથી વિશેષ ભૂંડને પિતાની ભૂંડણ પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવર્તી ભેગથી એટલે રસ લે છે, તેટલે જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે, તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જમ્યાં છે અને બન્ને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રેગથી, જરાથી બન્ને ગ્રાહિત છે. દ્રવ્ય ચક્રવત સમર્થ છે, મહાપુણ્યશાળી છે, શાતા વેદની ભેગવે છે, અને ભૂંડ બિચારું અશાતા વેદની ભેગવી રહ્યું છે. બન્નેને અશાતા–શાતા પણ છે, પરંતુ ચક્રવર્તી મહા સમર્થ છે. પણ જો એ જીવનપર્યત હાંધ રહ્યો તે સઘળી બાજી હારી જવા જેવું કરે છે. ભૂંડને પણ તેમ જ છે. ચક્રવર્તી શ્લાઘાપુરુષ હોવાથી ભૂંડથી એ રૂપે એની તુલના જ નથી, પરંતુ આ સ્વરૂપે છે. ભેગ ભેળવવામાં પણ બન્ને તુચ્છ છે, બન્નેનાં શરીર પરુ માંસાદિકનાં છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તે પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? એ સુખ નથી, છતાં સુખ ગણે તો જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી, ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિ છે. ( શિક્ષાપાઠ ૫૩. મહાવીરશાસન - હમણું જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા ૨૪૧૪ વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જમ્યા. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદિવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યદા હતું. ત્રીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શન જુવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર બેતેર વર્ષની લગભગ આયુ ભેગવી સર્વ કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન વીશીના એ છેલ્લા જિનેશ્વર હતા. એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચમકાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે. એમ ભગવતીસૂત્રમાં પ્રવચન છે. આ કાળ દશ અપવાદથી યુક્ત હેવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથેથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષ મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે, અને સત્ય એકાગ્રતાથી પિતાના આત્માને દમે છે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે, પણ કાળપ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે. વં નવ છિના' એવું ઉત્તરાધ્યયન સૂત્રમાં વચન છે, એને ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર (મહાવીરસ્વામી)ના શિષ્ય વાંક ને જડ થશે; અને તેમની સત્યતા વિષે કોઈને બેલડું ૧. મેક્ષમાળા પ્રથમવૃત્તિ વીર સંવત ૨૪૧૪ એટલે વિ. સં. ૧૯૪૪માં છપાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy