SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ વર્ષ ૧૭ રહે તેમ નથી. આપણે કયાં તત્વને વિચાર કરીએ છીએ? ક્યાં ઉત્તમ શીલને વિચાર કરીએ છીએ? નિયમિત વખત ધર્મમાં કયાં વ્યતીત કરીએ છીએ? ધર્મતીર્થના ઉદય માટે કયાં લક્ષ રાખીએ છીએ? કયાં દાઝવડે ધર્મતત્વને શોધીએ છીએ ? શ્રાવકકુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી; એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંનાં કંઈ વિશેષ લક્ષણે હોય તેને શ્રાવક માનીએ તે તે યથાયોગ્ય છે. પ્રત્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે પણ તત્વને કેઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધ પણ છે, જાણીને અહંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્ત્વના કાંટામાં તળનારા કઈક વિરલા જ છે. પરંપર આક્યાયથી કેવળ, મન:પર્યવ અને પરમાવધિજ્ઞાન વિચ્છેદ ગયાં; દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતને ઘણે ભાગ વિચ્છેદ ગયે; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યેગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાનતે ઉત્તર ન મળે તોપણુ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અગતિજન્ય કર્મ બાંધે છે. લીલેરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કેણ, કેવા વિચારથી શોધી કાઢ્યું હશે? આ વિષય બહુ મોટો છે. એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણું આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિને સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીરતીર્થને અર્થે બને તે વિવેકી બંધ કારણ સહિત આપે. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં. શિક્ષાપાઠ ૫૪, અશુચિ કેને કહેવી? જિજ્ઞાસ- મને જૈનમુનિઓના આચારની વાત બહુ રૂચી છે. એએના જેવો કોઈ દર્શનના સંતમાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે, ઉનાળામાં ગમે તે તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. યાજજીવ ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અગ્ય વચન તેથી બેલી શકાતું નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચારે ખરે ! મોક્ષદાયક છે. પરંતુ નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ વાત તે મને યથાર્થ બેસતી નથી. સત્ય- શા માટે બેસતી નથી? જિજ્ઞાસુ– કારણ એથી અશુચિ વધે છે. સત્ય- કઈ અશુચિ વધે છે? જિજ્ઞાસુ- શરીર મલિન રહે છે એ. સત્ય–ભાઈ, શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પિતે શાનું બન્યું છે એ તે વિચાર કરે. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મને એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે જિજ્ઞાસુ–પણું સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy