SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રીમદ્ રાજચંદ્ર પિતૃ અને પરણી તે, મચાવે અનેક બંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તેાય જીવ ઝાવા દાવા કરે, જંજાળ ઠંડાય નહીં, તજી તૃષનાઈને. (૪) થઇ ક્ષીણુ નાડી અવાચક જેવા રહ્યો પડી, જીવન દીપક પામ્યા કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઇએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તા તા ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તે ખીજી મુદ્દે સૂચવ્યું એ, આલ્યા વિના એસ ખાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખા દેખા આશાપાશ કેવા ? જતાં ગઈ નહીં ડેશે મમતા મરાઈને ! લધુ શિષ્યા શિક્ષાપાઠ ૫૦. પ્રમાદ ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાયુ જતાં વાર લાગતી નથી. એ ખેાધના કાવ્યમાં ચાથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. ૮ સમય ગોયમ મા વમાર્’ – એ પવિત્ર વાકયના બે અર્થ થાય છે. એક તા હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવા અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગને જે સમય કહેવાય છે તેટલા વખત પણ પ્રમાદ ન કરવા. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભા છે. લીધા કે લેશે એમ જંજાળ થઇ રહી છે; ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. અતિવિચક્ષણ પુરુષો સંસારની સપાધિ ત્યાગીને અહેરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળના પણુ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પૂરુષા અહેારાત્રના થાડા ભાગને પણ નિરંતર ધર્મકર્તનમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષા નિદ્રા, આહાર, મેાજશેખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેએ અધોગતિરૂપ પામે છે. Jain Education International 3 જેમ બને તેમ યત્ના અને ઉપયાગથી ધર્મને સાધ્ય કરવા ચેાગ્ય છે. સાડ઼ ઘડીના અહેારાત્રમાં વીશ ઘડી તે નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીસ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠે ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપયેગમાં લઇએ તે ખની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય ? પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તેપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે ! ૪ For Private & Personal Use Only શિક્ષાપાઠ ૫૧. વિવેક એટલે શું ? ભગવન્! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવા છે કે વિવેક એ મહાન www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy