SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૪૪. રાગ શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમસ્વામીના બેધેલા કેટલાક શિષ્ય કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પિતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગે પાંગ, વર્ણ, વાણી, રૂપ ઈત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. નિગ્રંથ પ્રવચનને નિષ્પક્ષપાતી ન્યાય એ છે કે, ગમે તે વસ્તુ પર રાગ દુઃખદાયક છે. રાગ એ હિની અને મેહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી આ નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણુ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા: “હે મહાવીર! તમે મને સાથે તે ન લીધે, પરંતુ સંભાયેયે નહીં. મારી પ્રીતિ સામી તમે દૃષ્ટિ પણ કરી નહીં! આમ તમને છાજતું નહોતું.” એવા તરંગો કરતાં કરતાં તેનું લક્ષ ફર્યું ને તે નીરાગ શ્રેણિએ ચઢ્યા. હું બહ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નીરાગી તે મારામાં કેમ મેહિની રાખે? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દ્રષ્ટિ હતી. હું એ નીરાગીને મિથ્યા મેહ રાખું છું. . મેહ સંસારનું પ્રબળ કારણ છે.” એમ વિચારતાં વિચારતાં તેઓ શેક તજીને નીરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું અને પ્રાંતે નિર્વાણ પધાર્યા. ગૌતમમુનિને રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરને મેહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયે, તે પછી સંસારને, તે વળી પામર આત્માઓને મેહ કેવું અનંત દુઃખ આપતો હશે! સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તે સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. શિક્ષાપાઠ ૪૫. સામાન્ય મનોરથ | (સવૈયા) મહિનભાવ વિચાર અધીન થઈ, નીરખું નયને પરનારી પથ્થરતુલ્ય ગણું પરભવ, નિર્મળ તાત્વિક લેભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહે ભવહારી. ૧ તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશેધ કરી નવ તત્ત્વને, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મને રથ, ધાર, થશે અપવર્ગઉતારુ. ૨ શિક્ષાપાઠ ૪૬. કપિલમુનિ-ભાગ ૧ કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાંના રાજદરબારમાં રાજ્યનાં આભૂષણરૂપ કાશ્યપ નામને એક શાસ્ત્રી રહેતું હતું. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેને ઉદરથી કપિલ નામને એક પુત્ર જ હતું. તે પંદર વર્ષને થયે ત્યારે તેના પિતા પરધામ ગયા. કપિલ લાડપાલમાં ઊછરેલે હોવાથી વિશેષ વિદ્વત્તા પામ્યું નહોતે, તેથી તેના પિતાની જો કોઈ બીજા વિદ્વાનને મળી. કાશ્યપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy