SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૩ મું જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેને લવ પછીં રહે, તત્ત્વવચન એ ભાઈ. પ સુંદર શિયળ સુરતરું, મન વાણુ ને દેહ; જે નરનારી સેવાશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સે સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭ શિક્ષાપાઠ ૩૫. નવકાર મંત્ર નમે અરિહંતાણું. નમો સિદ્ધાણું. નમે આયરિયાણું. નમો ઉવજઝાયાણું. નમે એ સવ્વસાહૂણં. આ પવિત્ર વાક્યોને નિગ્રંથપ્રવચનમાં નવકાર, નમસ્કારમંત્ર કે પંચપરમેષ્ટીમંત્ર કહે છે. અહંત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પંચવીશ ગુણ, અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થયા. અંગૂઠા વિના બાકીની ચાર આંગળીઓનાં બાર ટેરવાં થાય છે, અને એથી એ ગુણોનું ચિંતવન કરવાની યોજના હેવાથી બારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે, હે ભવ્ય ! તારાં એ આંગળીના ટેરવાંથી નવકારમંત્ર નવ વાર ગણુ.-“કાર” એટલે કરનાર એમ પણ થાય છે. બારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણને ભરેલે મંત્ર એમ નવકારમંત્ર તરીકે એને અર્થ થઈ શકે છે, અને પંચપરમેષ્ઠી એટલે આ સકળ જગતમાં પાંચ વસ્તુઓ પરમત્કૃષ્ટ છે તે કઈ કઈ ? તે કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાને જે મંત્ર તે પરમેષ્ટીમંત્ર; અને પાંચ પરમેષ્ઠીને સાથે નમસ્કાર હોવાથી પંચપરમેષ્ટીમંત્ર એ શબ્દ થયે. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પંચપરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે. એટલે એ પાંચે પાત્ર આવરૂપ નથી, પ્રવાહથી અનાદિ છે, અને તેના જનાર પણ અનાદિ સિદ્ધ છે, એથી એ જાપ પણ અનાદિ સિદ્ધ કરે છે. પ્રોએ. પંચપરમેષ્ટીમંત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે, એમ સત્પરુષે કહે છે એ માટે તમારું શું મત છે? ઉ– એ કહેવું ન્યાયપૂર્વક છે, એમ હું માનું છું. પ્ર.– એને કયા કારણથી ન્યાયપૂર્વક કહી શકાય? ઉ– હા. એ તમને હું સમજાવું: મનની નિગ્રહતા અર્થે એક તે સર્વોત્તમ જગભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. તત્વથી જોતાં વળી અહંતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્યસ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ અને વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા યોગ્ય એઓ શાથી છે? એમ વિચારતાં એએનાં સ્વરૂપ, ગુણ ઈત્યાદિ માટે વિચાર કરવાની સપુરુષને તે ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલે કલ્યાણકારક થાય? પ્રશ્નકાર– સત્પરુષે મેક્ષનું કારણ નવકારમંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy