SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા આ એક સ્યાદ્વાદતત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિએથી સમજવા, અને એ ગવાઈ ન હોય તે પાંચ સાત વખત તે પાઠ વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય, શેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે. હદય કમળ થશે વિચારશક્તિ ખીલશે અને જૈનતત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં જ છે. તે પેજના બાલાવબોધ રૂપ છે. “વિવેચન અને “પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે, આ એમને એક કકડે છે; છતાં સામાન્ય તત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે અને નવ તત્ત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથે જે સમજી શકે છે, તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તે અવશ્ય ભલામણ છે કે નાના બાળકને આ શિક્ષાપાઠોનું તાત્પર્ય સમજણરૂપે સવિધિ આપવું. જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠ કરાવવા, ને વારંવાર સમજાવવા. જે જે ગ્રંથની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. એક બે વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું. આ પુસ્તક ભણી હું ધારું છું કે, સુજ્ઞવર્ગ કટાક્ષ દ્રષ્ટિથી નહીં લેશે. બહુ ઊંડા ઊતરતાં આ મોક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઊછરતા બાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે. મનમાનતું ઉત્તેજન નહીં હોવાથી લેકેની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યું છે, હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકેને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જૈનશાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તે જ પારમાર્થિક હેતુ પાર પડશે. શિક્ષાપાઠ ૧. વાંચનારને ભલામણ વાંચનાર! હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નાપૂર્વક વાંચજે. મારાં કહેલાં તત્વને હૃદયમાં ધારણ કરજે. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો એમ કરશે તે તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણ અને આત્મશાંતિ પામી શકશે. તમે જાણતા હશે કે, કેટલાંક અજ્ઞાન મનુષ્ય નહીં વાંચવા ગ્ય પુસ્તક વાંચીને પિતાને વખત ઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લેકમાં અપકીર્તિ પામે છે, તેમજ પરલેકમાં નીચ ગતિએ જાય છે. તમે જે પુસ્તક ભણ્યા છે, અને હજુ ભણે છે, તે પુસ્તકે માત્ર સંસારનાં છે, પરંતુ આ પુસ્તક તે ભવ પરભવ બનેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનને એમાં છેડે ઉપદેશ કર્યો છે. તમે કઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશે નહીં, તેને ફાડશે નહીં, ડાઘ પાડશે નહીં કે બીજી કોઈ પણ રીતે બિગાડશે નહીં. વિવેકથી સઘળું કામ લેજે. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy