________________
મોક્ષમાળા
(બાલાવબોધ)
ઉપોદઘાત નિગ્રંથ પ્રવચનને અનુકૂલ થઈ સ્વ૫તાથી આ ગ્રંથ ગૂંથું છું. પ્રત્યેક શિક્ષાવિષયરૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે. આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, એમ સમજતાં છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે તે ઉચિત થાઓ ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષે કંઈ ઓછા થયા નથી, તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે, પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશબીજ રોપાવા, અંતઃકરણ કમલ કરવા આવા ગ્રંથનું પ્રયોજન છે.
આ પ્રથમ દર્શન અને બીજા અન્ય દર્શનમાં તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધને શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે. તેને સ્વપતાથી કિચિત તત્વસંચય કરી તેમાં મહાપુરુષનાં નાનાં નાનાં ચરિત્રે એકત્ર કરી આ ભાવનાબોધ અને આ મોક્ષમાળાને વિભૂષિત કરી છે. તે “વિદગ્ધ મુખમંડન ભવતુ.” ( સંવત્ ૧૯૪૩)
–કર્તાપુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org