SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મા પહેલાં ૨૭ કીર્તિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યું હોત તે એ વાત તે પ્રગટ પણ કરત? પરંતુ એને સ્વાર્થ વગરને ધર્મ તેથી ખરું કહેતાં કેમ અટકે ? જે ભાઈ! મને પણ કર્મ મૂકતાં નથી. તે તમને કેમ મૂકશે? માટે કર્મવાળે આ પણ તેને સિદ્ધાંત ખરે છે. જે એમને સ્વાથી અને કીર્તિને બહાને ભુલાવવાનો ધર્મ હોત તે એ વાત એ પ્રદર્શિત પણ કરત? જેને સ્વાર્થ હોય તે તે આવી વાત કેવળ ભોંયમાં જ ભંડારે. અને દેખાડે છે, નહીં, નહીં મને કર્મ નડતાં નથી. હું સઘળાનો જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છે. આ ભપકે ભભકાવત. પરંતુ ભગવાન વર્ધમાન જેવા અને સત્યાળુને પિતાની જૂઠી પ્રશંસા કહેવા–કરવાનું છાજે જ કેમ? એવા નિર્વિકારી પરમાત્મા તે જ ખરું બોધે. માટે આ પણ એને સિદ્ધાંત કોઈ પણ પ્રકારે શંકા કરવા યંગ્ય નથી. ૯. સમ્યગ્દષ્ટિ – સમ્યગ્દષ્ટિ એટલે ભલી દ્રષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું. તેનું નામ વિવેકદ્રષ્ટિ અને વિવેકદ્રષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ. આ એમનું બેધવું તાદ્રશ ખરું જ છે. વિવેકદ્રષ્ટિ વિના ખરું ક્યાંથી સૂઝે? અને ખરું સૂક્યા વિના ખરું ગ્રહણ પણ ક્યાંથી થાય ? માટે સઘળા પ્રકારે સમ્યગ્દષ્ટિને ઉપયોગ કરવો જોઈએ. આ પણ એનું સૂચવન શું ઓછું શ્રેયસ્કર છે ? અહિંસા સહિત આ નવે સિદ્ધાંત હે પાપી આત્મા! ઘણે સ્થળે જૈન મુનીશ્વરેને ઉપદેશતાં તેં સાંભળ્યા હતા, પરંતુ તે વખતે તને ક્યાં ભલી દ્રષ્ટિ જ હતી? એ એના નવે સિદ્ધાંતે કેવા નિર્મળ છે? એમાં તલભાર વધારે કે જયભાર ઘટાડે નથી. કિંચિત એના ધર્મમાં મીનમેખ નથી. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરું જ છે. મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઈચ્છો. એ જ એનું સ્થળે સ્થળે બેધવું છે. એના પ્રત્યેક સિદ્ધાંત રસૃષ્ટિનિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપે છે, તે કેવો અસરબંધ છે? એક પત્નીવ્રત પુરુષોએ, અને એક પતિવ્રત સ્ત્રીઓએ તે (સંસાર ન તજી શકાય, અને કામ દહન ન થઈ શકે તે) પાળવું જ. આમાં ઉભય પક્ષે કેટલું ફળ છે! એક તે મુક્તિમાર્ગ અને બીજે સંસારમાર્ગ, એ બન્નેમાં એથી લાભ છે. આજે સંસારને લાભ એકલે તે જો. એક પત્નીવ્રત (સ્ત્રીને પતિવ્રત) પાળતાં પ્રત્યક્ષમાં પણ તેની સુમન કામના ધાર્યા પ્રમાણે પાર પડે છે. કીર્તિકર અને શરીરે પણ આરેગ્યપ્રદ છે. આ પણ સંસારી લાભ. પરસ્ત્રીગામી કલંકિત થાય છે. ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે. અને બીજા અનેક દુરાચરણે વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુ:ખકારક છે. તે તે મુક્તિમાર્ગમાં શા માટે દુઃખપ્રદ ન હોય? જે, કેઈને પોતાની પુનિત સ્ત્રીથી તે રેગ થયો સાંભળ્યું છે? માટે એના સિદ્ધાંતે બન્ને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તે સઘળે સારું જ હોય ને? ઊનું પાણું પીવા સંબંધીને એનો ઉપદેશ સઘળાઓને છે અને છેવટ જે તેમ વતી ન શકે તેણે પણ ગાળ્યા વગર તે પાણી ન જ પીવું. આ સિદ્ધાંત બન્ને પક્ષે લાભદાયક છે. પરંતુ હે દુરાત્મા ! તું માત્ર સંસારપક્ષ જ (તારી ટૂંક નજર છે તે) જે. એક તે રેગ થવાને થડે જ સંભવ રહે. અણગળ પાણી પીવાથી કેટલી કેટલી જાતના રોગની ઉત્પન્નતા છે. વાળા, કેગળિયાં આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે. જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે, ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય? આ નવે સિદ્ધાંતમાં કેટલું બધું તત્ત્વ રહ્યું છે! એક સિદ્ધાંત છે તે એક ઝવેરાતની સેર છે. તેવી નવ સિદ્ધાંતથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણરૂપી કોટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખને ભક્તા ન થાય? ખરે અને નિઃસ્વાર્થ ધર્મ તે આ એક જ છે. હે દુરાત્મા! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે. માટે તું હવે તે ધર્મના “નવકાર સ્તંત્રને સંભાર. અને હવે પછીના જન્મમાં પણ એ જ ધર્મ માગ. આવું જ્યાં મારું મન થઈ ગયું અને “નમે અરિહંતાણં” એ શબ્દ મુખથી કહું છું ત્યાં બીજું કૌતુક થયું. જે ભયંકર નાગ મારે પ્રાણ લેવા માટે પાસું ફેરવતે હતો તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જત જણાયો. એના મનથી જ એવી ઈચ્છા ઊપજી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy