SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ મીમાંસા વળી, ભભ્રાન્તિ દૈહાદિમાં કરે તે અહિરાભ” (સમાધિશતક–૫) ઇન્દ્રિય દ્વારા વિષયમાં, બહાર ભમે અહિરાત્મ, આતમજ્ઞાન વિસુખ તે માને ટ્રુહુ નિજાત્મ’ (સમાધિશતક–૭) વિષય-કષાયામાં રાચતા જીવને શરીર આદિ બાહ્ય પદાર્થો મનેાહર લાગે છે. આવા જીવા શરીર આદિને આત્મા માને છે અને આત્મા-પરમાત્માના સ્વરૂપની તેને ખીલકુલ ખ્યાલ હાતા જ નથી. ૧૭ સર્વે સ`સારીજીવાને સત્તામાં રહેલા કર્મ રાદા ઉંચમાં આવ્યા જ કરે છે; જીવ એના ફૂલમાં તલ્લીન થઈ જાય છે તેમજ મેહ, રાગ અને દ્વેષ કરે છે. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. પરંતુ જ્યારે રાગ, દ્વેષ, માહ ભાવથી જ્ઞેય પદાર્થને દેખે છે-જાણે છે ત્યારે આત્માને વિકારરૂપ રાગદ્વેષ, માહ પિરણામ થાય છે અને તે જ ભાવ-અંધ છે. આ ભાવ—બધ સંસાર-પરિભ્રમણનુ બીજ છે. આવા માહના ત્રણ ભેદ છે: દર્શનમાહ, રાગ અને દ્વેષ. પદાર્થાને વિપરીતરૂપે જાણવા તે દર્શનમાહનું લક્ષણ છે. ઈષ્ટ વિષયામાં પ્રીતિ તે રાગનુ લક્ષણ છે, અને અનિષ્ટ પદાર્થોમાં ક્રૂર દૃષ્ટિ થવી તે દ્વેષનું લક્ષણ છે. દર્શનમાહના કારણે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. Jain Education International મિથ્યાત્વ-પ્રકૃતિના ઉચના કારણે આવું તત્ત્વાર્થં શ્રદ્ધાનના અભાવરૂપ મિથ્યાત્વ જીવામાં અનાદિ કાળથી ગાઢ (નિબિડ) રૂપે હાય છે. આમાં કોઈની શિખામણુ કે ઉપદેશ છે નહી; અનાદિ કાળથી આવું મૂઢતારૂપ મિથ્યાત્વ ચાલ્યુ જ આવે છે. આ મિથ્યાત્વ સ્વાભાવિક અગર નિસર્ગ જ હાય છે. આવા પ્રકારના ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy