SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ મિથ્યાત્વમીમાંસા સમતિનું તત્ત્વાર્થ સૂત્રના સૂત્ર-૨ માં સ્વરૂપ બતાવતા આચાર્ય શ્રી ઉમાસ્વાતિએ કથન કરેલ છે કે “ તત્ત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યગ્દર્શનમ” એટલે કે જીવાદિ (સાત અગર નવ) તત્ત્વા જે સ્વરૂપે અવસ્થિત છે તે તત્ત્વાની તેવા જ સ્વરૂપે શ્રદ્ધા કરવી, અન્યથા શ્રદ્ધા ન કરવી તે સમિત છે; એટલે કે તત્ત્વાર્થની શ્રદ્ધાના અભાવ અગર તત્ત્વાર્થની વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ કહેવાય છે. સમકિતના વિરાધી શબ્દ મિથ્યાત્વ એટલે વિપરીત અથવા સત્યથી વિરાધી; જે નથી તે છે તેમ માનવું અથવા જે છે તે નથી તેમ માનવું. મિથ્યાત્વની નિવૃત્તિ તે જ સમિત છે. સમ્યક્દષ્ટિ હાવી એટલે કે સત્યની અભિરુચિ અથવા અભીપ્સા હાવી. આ દૃષ્ટિમાં અંતરખોજ છે, આધ્યાત્મિક ચિંતન, મનન છે, અને સતત જાગૃતિ છે. આમાં મતાગ્રહને ખીલકુલ અવકાશ નથી. વળી, આ દૃષ્ટિમાં રાગદ્વેષની મંદતા, ક્રમશઃ વધતી મઢતા હાય છે. મિથ્યાદષ્ટિમાં રાગદ્વેષની તીવ્રતા હાય છે, દુરાગ્રહ અને મમત્વ હોય છે તેમજ માહ અને પુદ્ગલના પ્રભાવ હાય છે. જીવન-વ્યવહારમાં અને જીવનની જરૂરીઆતા પ્રાપ્ત કરવામાં માણસ એટલેા બધા સંસારમાં ડૂબેલે રહે છે કે તેને તત્ત્વચિંતનને વિચાર જ આવતો નથી, ચિંતન અને મનનના અવકાશ જ રહેતા નથી, પરપરાગત માન્યતાએ સ્વીકારી, સામાન્ય માનવી પ્રવાહપતિત જીવન જીવ્યે જાય છે. પ્રવાહપતિત જીવન પાછળ પણ અવ્યક્તપણે માનવીના મનના ઊંડાણમાં કાંઈક પડેલ છે કે જે તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy