SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. તદ્ધિત પ્રકરણ અધ્યાય ૬ પાદ ૧ થી ૪ અધ્યાય ૭. પાદ ૧ થી ૪ ૧૨. પ્રાકૃત વ્યાકરણ અધ્યાય ૮ પાદ ૧ થી ૪ સમગ્ર વ્યાકરણ ઉપર આચાર્યશ્રીએ પોતે જ વિસ્તારથી વૃત્તિ રચેલી છે. અને તેમણે જ રચેલી લઘુવૃત્તિની અપેક્ષાએ આ વૃત્તિ મોટી હોવાથી બૃહદ્ઘત્તિના નામથી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત, આચાર્યશ્રીએ ત્રણ વૃત્તિઓ સંસ્કૃત વ્યાકરણ ઉપર રચેલી છે એમ સમજાય છે. એક તો લઘુવૃત્તિના નામથી સુપ્રસિદ્ધ છે કે જેના પઠન-પાઠનનો અત્યંત પ્રચાર છે. બીજી વૃત્તિ આનાથી થોડી મોટી છે. સ્વ.આ.શ્રી ક્ષમાભદ્રસૂરિજી મહારાજે એનું સંપાદન કરેલું છે. આનો અઢી અધ્યાય પુરતો ૧લો વિભાગ સુંદર અવસૂરિ સાથે છાણીથી લબ્ધિસૂરીશ્વરજૈનગ્રંથમાળામાં ૩૩માં પુસ્તક રૂપે વિક્રમસંવત્ ૨૦૦૨માં પ્રકાશિત થયો છે. તે પછી સાતમા અધ્યાય સુધીનો બીજો વિભાગ શ્રુતજ્ઞાનઅમીધારા-બેડા (રાજસ્થાન) તરફથી વિક્રમ સંવત્ ૨૦૧૧માં પ્રકાશિત થયો છે. આમાં પણ ચતુષ્કવૃત્તિ (૧૧૧ થી વારા૧૫૬), આખ્યાતવૃત્તિ (૩૩૧ થી ૪૪૧૨૨), કુવૃત્તિ (પાવાવ થી પા૪૯૦) તથા તદ્ધિતવૃત્તિ (દા૧૧ થી ૭૪૧૨૨) ના અંતે ડ્રત્યાવાર્યશ્રીદેમચંદ્રવિચિંતાયાં સિદ્ધહેમવેન્દ્રામિષાનવો જ્ઞશબ્દાનુશાસનનવૃત્તો એવો ઉલ્લેખ મળે છે. એટલે આનો પણ હસ્તલિખિત આદર્શમાં લઘવૃત્તિ તરીકે જ નિર્દેશ છે. આ ગ્રંથનો પ્રચાર અલ્પ છે. છતા પ્રસિદ્ધ લઘુવૃત્તિ કરતાં મોટી હોવાથી આનો આ.શ્રી ક્ષમાભદ્રસૂરિજી મહારાજે મધ્યમવૃત્તિ તરીકે નિર્દેશ કર્યો છે, તેમ જ અત્યારે લોકોમાં એ નામથી પ્રસિદ્ધિ હોવાથી અમે પણ મધ્યમવૃત્તિ તરીકે નિર્દેશ કર્યો છે. આ ગ્રંથનો પઠન-પાઠનમાં પ્રચાર અલ્પ છે. ત્રીજી રહસ્યવૃત્તિ છે. એમાં પણ રૂત્યવાર્યશ્રીદેવેન્દ્રવિવિતાયાં સ્વોપાસિદ્ધહેમશદ્દાનુશાસનરહસ્યવૃત્તૌ એવો ઉલ્લેખ પુષ્પિકામાં છે. તેથી આની રચના પણ આચાર્યશ્રીએ પોતે જ કરેલી છે. વિક્રમ સંવત ૧૨૧૮માં આચાર્યશ્રીના સમયમાં જ લખાયેલી આની તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં ૧. સંધિ, નામ, કારક અને સમાસ આ ચાર પ્રકરણો ચતુષ્ક શબ્દથી વિવક્ષિત છે. ૨. ચતુષ્કવૃત્તિના संतमां इत्याचार्यश्रीहेमचन्द्राचार्यविरचिते सिद्धहेमचन्द्राभिधानलघुव्याकरणे चतुष्कवृत्तिर्लध्वी परिपूर्णा એવો ઉલ્લેખ છે. ૩. ફવૃત્તિના અંતમાં.. રેમન્દ્રીવાર્યવિરચિતાર્યા યુવૃત્તી એવો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001342
Book TitleHemchandrashabdanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1995
Total Pages449
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy