SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (ઢિપ્રાદેશિક)... યાવત અનંત પ્રાદેશિક સ્કંધો હોય છે. અનંત પ્રાદેશિક જીવોપયોગી પુગલ સ્કંધો (વર્ગણાઓ) ના આઠ વિભાગ-દારિકવૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોચ્છવાસ-મન અને કાર્મણ વર્ગણા. (ઔદારિક શરીર વગેરે બનાવવા યોગ્ય પુદ્ગલો.) જીવને શરીર, ભાષા, પ્રાણ મન, સુખ, દુ:ખ, જીવન, મરણ એ પુદ્ગલના પ્રભાવે છે, પુદ્ગલનો ઉપકાર છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલ માત્રના સામાન્ય ગુણો છે; જ્યારે શબ્દ, અંધકાર, પ્રકાશ, પ્રભા, છાયા, પ્રતિબિંબ, તડકો વગેરે પુદ્ગલના વિશેષ પર્યાયો છે. શબ્દ પુગલ ન હોત તો કાનના પડદાને મોટો શબ્દ ઉપધાત ન કરત. તેમ છાયા ફોટામાં ન પકડાત. પરિણામ - વર્ણ ૫-કૃષ્ણ, નીલ, રકત, પીત, શુકલ, રસ ૫ - કડવો, તીખો, કષાયલો, ખાટો, મીઠો. ગંધર - સુગંધ, દુર્ગધ. સ્પર્શ ૮ - શીત - ઉષ્ણ, સ્નિગ્ધ – રુક્ષ (લુખો), ગુરૂ-લઘુ, મૃદુ-કર્કશ. પરમાણુમાં વર્ણ, ગંધ, રસ એકેક હોય અને સ્પર્શ બે હોય, શીત ઉષ્ણમાંથી એક અને સ્નિગ્ધરુક્ષમાંથી એક, કોક સ્થાને લઘુ અને મૂદુ પણ માન્યા છે. પાછળની ભાષા, શ્વાસોચ્છવાસ મન અને કાર્મણ એ ચાર વર્ગણાને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, એ ચારજ હોય, એથી એ ચઉસ્પર્શી ગણાય, જ્યારે પ્રથમની ચાર વર્ગણાઓ અષ્ટસ્પર્શી છે. કૃષ્ણ વગેરે ગુણોમાં તરતમતા હોય છે, જેમકે કોઈ એક ગુણ Jain Education International For Private "ersonal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy