________________
શાનની પરખ અને પ્રાનિ/ ૩૩ તત્વપ્રાપ્તિનો ત્રિવિધ માર્ગ
મૃતથી-વાચન, શ્રવણ કે શાસ્ત્રાધ્યયનથી–આત્માનું પરોક્ષ જ્ઞાન મેળવી લઈ, એ (આત્મા) જ પ્રાપ્તવ્ય છે અને તે સિવાયનું બીજું બધું રિદ્ધિઓ, સિદ્ધિઓ કે શક્તિઓ એ બધું–માથા ઉપરથી ઉતારેલ વાળ કે આંગળીથી જુદા કરેલા નખ તુલ્ય અસાર છે, એ વિચાર સ્થિર કરવો એ અધ્યયનનું પ્રથમ કાર્ય છે.
એ પછી જ્ઞાનની બીજી ભૂમિકા છે મુક્તિમાર્ગની સ્પષ્ટ સમજણ. જ્ઞાનજ્યોગ, કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, લયયોગ આદિ વિવિધ સાધનાપદ્ધતિઓ અને તે સાથે ચિત્તની એકાગ્રતાની કેળવણી અર્થે ઉપયોગમાં લેવાતી અન્ય પ્રક્રિયાઓનું–જેવી કે જપ, નાદાનુસંધાન, શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ, ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહનું તટસ્થ અવલોકન વગેરેનું – જ્ઞાન સંપાદન કરી, પોતાની પ્રકૃતિ, સંયોગો અને સામર્થ્યને અનુરૂપ પ્રક્રિયા શોધી કાઢવી એ આ ભૂમિકાનાં શ્રવણ-વાચન-શાસ્ત્રાભ્યાસનું લક્ષ્ય હોય. શ્રવણ, ચિંતન અને વિમર્શ દ્વારા મુમુક્ષુ અહીં જ્ઞાન અને ક્રિયાના હાર્દ સુધી પહોંચે છે. અંતિમ ધ્યેય સુધી પહોંચાડનાર સાધનામાગમાંથી છેવટે કોઈ એકનું પણ અભ્રાંત દર્શન સાધકે મેળવી લેવું જોઈએ.
આ થઈ બૌદ્ધિક સમજની વાત. અહીં શાસ્ત્ર અટકી જાય છે. આત્મતત્ત્વનું પરોક્ષ જ્ઞાન અને તેની (આત્મતત્વની) પ્રાપ્તિનાં સાધનો તે બતાવી દે છે. શ્રવણ-વાચન અહીં સુધી પહોંચાડે છે, આંગળી ચીંધી માર્ગ બતાવી દે છે. પછીનો પંથ આપણે પોતે કાપવાનો છે. પછી ચાલવું આપણે રહ્યું. જે સાંભળ્યું, વાં, તે જીવનમાં અનુભવવું રહ્યું.
આ બંને કાર્ય એકસાથે થતાં રહે છે. જેમ માર્ગ ઉપર થોડું ચાલીએ કે આગળ એક-બે ફળંગ સુધીનો રસ્તો દેખાતો જાય છે, એટલું આગળ ન ૧૯. વ્યાપાર: સર્વશાત્રા વિપ્રર્શનને દિ .
पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।। अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनाऽपि, न गम्यं यद् बुधा जगुः ।
– જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૨-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org