SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ... તો વાચન વધુ ફળપ્રદ બને ‘સંદેશ’ (દૈનિક)ની લોકપ્રિય કટાર ‘કેલીડોસ્કોપ'ના લેખક મોહમ્મદ માંકડ તેમના એક લેખમાં લખે છે કે ઝડપથી વાંચતાં શીખવવા માટેના આજે વર્ગો ચાલે છે, પુસ્તકો અને લેખો લખાય છે. છતાં, બધી વસ્તુ તમે ઝડપથી વાંચી નથી શકતાં. કેટલુંક એવું હોય છે જે ચાવીને વાંચવું પડે છે. કોચલામાં રહેલી બદામ ખાવી હોય તો પહેલાં તેને ભાંગવી પડે છે. પછી ચાવવી પડે છે. તેનો સ્વાદ તો જ માણી શકાય છે અને ફાયદો પણ તો જ મેળવી શકાય છે, ઝડપથી ગળી જવાથી કશો જ ફાયદો થાય નહિ. કુર્આન કે ગીતાનો પાઠ કરવો એ એક વાત છે અને તેના ઉપર મનન કરવું, તેમાંથી કશુંક શીખવું, તેમાં રહેલા જ્ઞાનનો આસ્વાદ લેવો તે તદ્દન જુદી વાત છે, ધર્મપુસ્તકો બીજાં પુસ્તકોથી એ રીતે જુદાં પડે છે. એક વાત એ પણ સમજવા જેવી છે કે, જે પુસ્તક લખતાં તેના સર્જકને બાર મહિના લાગ્યા હોય તેને માત્ર બે કલાકમાં વાંચી નાંખીને, આપણે તેના ઉત્તમ અંશો પામી શકતા નથી. એના સર્જક સાથે ધીમે ધીમે ચાલવામાં – ધીમેથી વાંચવામાં એક જુદા જ પ્રકારનો આનંદ મળે છે. જિબ્રાને તેના પ્રખ્યાત પુસ્તક ‘પ્રોફેટ’ની પ્રથમ પ્રત બહુ નાની ઉંમરે તૈયાર કરી હતી. પરંતુ એ માત્ર એક કાચો વિચાર હતો – કાચો ડ્રાફટ હતો. પછી તેને સંસ્કારવામાં વર્ષો પસાર થઈ ગયાં હતાં. વીસ-પચીસ વરસ પછી એક નાનકડું પુસ્તક ‘પ્રોફેટ’ તૈયાર થયું જે આપણે માત્ર અડધા કલાકમાં વાંચી નાખી શકીએ. પરંતુ એ રીતે તે વાંચી નાખવું ન જોઈએ. એને તો અંજલિ અંજલિ ભરીને પીવું જોઈએ. Jain Education International ...લતા મંગેશકર કે મોહમ્મદ રફીના ગીતની રેકૉર્ડ કોઈ એકદમ ઝડપથી વગાડે તો? ગીતના બદલે માત્ર ઘોંઘાટ જ મળે. ઉત્તમ કૃતિઓ ઝડપથી વાંચનાર આવો જ કાંઈક ગોટાળો કરે છે. લિયોનાર્દોની ‘મોનાલિસા' ઉપર ઉતાવળે દૃષ્ટિ કરીને જોઈ લેનાર શું પામી શકે? ‘મોનાલિસા'ને તે જોઈ શકે પણ માણી શકે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy