SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સાધન-નિકા અભ્યાસ દ્વારા જ સાધનાનું રહસ્ય પામી શકાય છે; માત્ર શ્રવણવાચનથી કે ચર્ચા-વિચારણાથી ધ્યાનનું હાર્દ હાથમાં આવતું નથી. કેવળ સિદ્ધાંતોની બૌદ્ધિક સમજણ કરતાં કોઈ એક પ્રક્રિયાનો રોજિંદો અભ્યાસ વધુ મહત્ત્વનો છે. ધાનમાર્ગે પ્રગતિમાં એક મોટી રુકાવટ એ છે કે દાર્શનિક ચર્ચાવિચારણા, ખંડન-મંડન, સાધનાવિષયક કોરી વાતો, વાંચવું, સાંભળવું, સંભળાવવું વગેરેમાં માણસ ઘણી વાર એટલો વ્યસ્ત રહે છે કે ચિત્તમાં ઊભરાતા સંકલ્પ-વિકલ્પથી છૂટવા માટેની કોઈ રચનાત્મક સાધના-પ્રવૃત્તિ તે હાથ ધરી શકતો નથી, અને છતાં તે ભ્રાંતિમાં રહે છે કે પોતાનું જીવન આત્મસાધનામાં વીતી રહ્યું છે. સાધનામાં પ્રગતિનો આધાર : નિયમિત અભ્યાસ તરવા ઉપર માત્ર ગ્રંથોના ગ્રંથો વાંચી જવાથી કે વર્ષો સુધી એ અંગે ચર્ચા-વિચારણા કર્યા કરવાથી તરતાં આવડી જતું નથી, તેમ કેવળ વિચારવાચન કે ચર્ચા-વિચારણાથી ધારણા-ધ્યાન-સમાધિમાં નિપુણ થઈ શકાતું નથી. તેમાં પ્રગતિનો ઘણો આધાર તેના નિયમિત અભ્યાસ પર રહે છે. નૃત્ય, સંગીત, શિલ્પાદિ કળાઓની જેમ દીર્ઘ કાળની નિષ્ઠાપૂર્વકની સાધના દ્વારા જ ધ્યાન હસ્તગત કરી શકાય છે. પરંતુ બાહ્ય જગતના આકર્ષણમાંથી છૂટીને માણસ અંતરંગ સાધના કાજે સમય જ મેળવી શકતો નથી ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy