SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના|૨૨૧ જિનાજ્ઞા-સંમત સાધના માટે અનુમતિ ન આપનાર, જિનમાર્ગના અમર્મજ્ઞ ‘ગુરુ’ પ્રત્યે આત્માર્થી શિષ્યનું કર્તવ્ય શું? પૂર્વાચાર્યોએ દીક્ષાર્થી મુમુક્ષુને આપેલી સલાહનું અનુસરણ ત્યાં આત્માર્થી શિષ્યે કરવું શું ઉચિત નથી? – ન્યાય નથી? મોહાધીન માબાપ દીક્ષાની અનુમતિ ન આપતાં હોય અને તેમને સમજાવવામાં સર્વ યુક્તિ-પ્રયુક્તિ નિષ્ફળ રહે ત્યારે, દીક્ષાર્થી અંતે એમ વિચારે કે ‘સંયમનો સ્વીકાર કરીને હું શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરું તો એ પછી માતાપિતાને પણ ધર્મપ્રાપ્તિ કરાવી તેમનું ઋણ હું ફેડી શકીશ; અન્યથા, ધર્મથી વંચિત રહી, સૌ ભવચક્રમાં કયાંય ફેંકાઈ જઈશું.' આ પ્રમાણે તેમના પ્રતિ કૃતજ્ઞતા અને કરુણાના ભાવપૂર્વક તેમનો ત્યાગ કરીને, મુમુક્ષુએ સંયમમાર્ગે ચાલી નીકળવું. એ ત્યાગ પણ પરમાર્થથી અત્યાગ છે. આ જ ન્યાયે, જિનાજ્ઞા-સમ્મત સાધનામાર્ગે જવાની સંમતિ ન આપનાર માર્ગના અમર્મજ્ઞ ગુરુનો ત્યાગ કરીને, જિનાજ્ઞા-સમ્મત સાધનામાં પ્રવૃત્ત થવું એ શું આત્માર્થી અણગારનું કર્તવ્ય નથી થઈ પડતું? વળી, એ પણ ખ્યાલમાં રહે કે ધર્મની પ્રાપ્તિ અર્થે પૂર્વતૈયારીરૂપ જે ગુણો કેળવવાનો અનુરોધ શાસ્ત્ર કર્યો છે તેમાંના એક ગુણ-વડીલોની સેવા અને આજ્ઞાપાલન-નું વિધાન કરતાં, શાસ્રકારે એ સાવધાની ઉચ્ચારી છે કે વડીલોની સેવા અને આજ્ઞાપાલન કર્તવ્ય છે ખરાં, પણ “ત્યાંયે એ ઔચિત્ય સાચવવું કે, એમને ન રુચે તે મૂકી દેતાં કે તેમને રુચતું હોય એ કરવા જતાં ધર્મપુરુષાર્થને જો બાધ આવતો હોય તો, માત્ર એમની રુચિ-અરુચિ જોઈને ધર્મપુરુષાર્થ છોડી ન દેવો. મોક્ષપુરુષાર્થનો અવસર અત્યંત દુર્લભ છે, માટે, એમની રુચિઅરુચિને અવગણીનેય એ માર્ગે પ્રયત્નશીલ રહેવું.” એમાં જ જિનાજ્ઞાની આરાધના છે." ૫૧. .....सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते अट्ठाणगिलाणोसहत्थ-चागनाएणं एस चाए अचाए, तत्तभावणाओ, अचाए चेव चाए, मिच्छाभावणाओ; तत्तफलमित्थ पहाणं परमत्थओ धीरा एअदसिणो શ્રી પંચસૂત્ર, સૂત્ર ત્રીજું. आसन्नभव्वा । ૫૨. .. औचित्येनत्विदं ज्ञेयं, धर्माद्यपीडया | ટીકા : ઔન્નિત્યમેવ વ્યક્તિ વિ તનિષ્લેમ્યો નિવૃત્તૌ તવિષ્લેષુ ૬ પ્રવૃત્તૌ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy