SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪/ આત્મજ્ઞાન અને સાધનાપથ નિરંતર અપ્રમત્તપણે કાઉસ્સગ્રુધ્યાને રહ્યા એ આપણે જાણીએ છીએ; પણ એ સમજવા આપણે કદી પ્રયાસ કર્યો છે ખરો કે કાયોત્સર્ગની સાધનાનું હાર્દ શું? કર્મક્ષય સાથે અને દોષક્ષય સાથે કાયોત્સર્ગને શો સંબંધ છે? કેટલો સંબંધ છે? કેવા પ્રકારનો સંબંધ છે? આટલા દીર્ઘ કાળ સુધી કાયોત્સર્ગની સાધના શા માટે? દેખીતી રીતે તો કાયોત્સર્ગ કરવો એટલે સાવનિષ્ટ બેસી રહેવું, ઊભા રહેવું કે શવાસનમાં પડયા રહેવું – એને આટલું બધું મહત્ત્વ શા માટે? આગમો કહે છે કે “કાયોત્સર્ગથી ચિત્તની એકાગ્રતા લાધે, શરીરની જડતા દૂર થાય અર્થાત્ શરીર હળવુંફલ અનુભવાય અને સુખ કે દુઃખનાં નિમિત્તોમાં રાગ-દ્વેષ ન જન્મે. આ પરિણામ ન આવતું હોય તો એ કાયોત્સર્ગ જ નથી.' કાયોત્સર્ગનો આપણો અનુભવ શો છે - એકાગ્રતા, લાઘવ અને સમતા? કે “કાઉસ્સગ્ન ક્યારે પૂરો થાય” એ આકુળતા? કાયોત્સર્ગની શ્રી જિનેશ્વર-નિર્દિષ્ટ પ્રક્યિા આપણે ખોઈ બેઠા છીએ એમ નથી લાગતું? આજે કાઉસ્સગ્નમાં આપણે નવકાર કે લોગસ્સ ગણીએ છીએ; આગમોમાં કાયોત્સર્ગની સમય-મર્યાદા સર્વત્ર શ્વાસોચ્છવાસની સંખ્યાથી દર્શાવાઈ છે. આપણે શ્વાસોચ્છવાસનું અવલંબન લઈને ધ્યાન કરનારનો ઉપહાસ કરીએ છીએ! – શ્વાસોચ્છવાસનું અવલંબન / શા માટે? પૂર્વે આપણે જોયું કે વિચાર કે શબ્દસંકેત દ્વારા વિપર્યાસ-મુક્ત સ્વરૂપબોધ થવો શક્ય નથી; કારણ કે, વિચારનો આધાર જ અવિદ્યા છે. વિચાર જન્મે છે મન-ઇન્દ્રિયો વડે પૂર્વે જે અનુભવ્યું હોય એનાં સ્મૃતિસંસ્કારમાંથી, અને મન-ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત જ્ઞાન તો કુંઠિત વિકૃત હોય છે. (એ વિચારણા “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” એ પ્રકરણમાં પૂર્વે આપણે કરી ગયા છીએ.) વિચારની જેમ જ શબ્દસંકેત કે સંકલ્પનાઓનો આધાર પણ મન-ઇન્દ્રિયો વડે પૂર્વે મેળવાયેલ કુંઠિત જ્ઞાન છે. આથી, તત્ત્વનો યથાર્થ બોધ એ માર્ગે થવો અસંભવ છે. ઇન્દ્રિયો અને મનને અતિક્રમી જઈને જ સ્વરૂપનો યથાર્થ બોધ પામી શકાય. પરંતુ સામાન્યત: માનવીના ચિત્તનો ચરખો અવિરત ચાલતો જ રહે છે; એ એને ક્ષણભર પણ બંધ કરી શકતો નથી. એકાંતમાં આંખ બંધ * જુઓ પ્રકરણ ત્રીજું, પાદનોંધ ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy