SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આત્મજ્ઞાન અને સાધનાપથ જાયું તે વિગતવાર ટપકાવી લીધું. રાત્રે ઘેર પાછા ફરતાં સંબંધિત વ્યક્તિઓને ભેગી કરી. વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવાના મારા વલણ મુજબ હકીકતોને નાણી જોતાં, મારા આશ્ચર્ય વચ્ચે, મને જણાયું કે મને થયેલું જ્ઞાન સાચું હતું–અતીન્દ્રિય જ્ઞાન! શું જડમાં આવી શક્તિઓ રહેલી છે? જ્ઞાનશક્તિ અને જડ એ શું જુદી વસ્તુઓ છે? શું જડથી પર કંઈક તત્વ છે?—આવી શંકાઓ, એક પછી એક, મારા મનમાં ઊઠવા માંડી. “પહેલાં હું જેનાથી દૂર રહેલો તે માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ અને રહસ્યવાદ જેવા વિષયોના ગ્રંથો પ્રત્યે મેં નજર દોડાવી. એ સાહિત્ય પણ યુવાન માનસને સુલભ એવા તે જ ઉત્સાહ અને આતુરતાથી વાંચ્યું કે જે ઉત્સાહભેર મેં કાર્લ માર્કસના (જડ પરિબળો દ્વારા સમાજનો વિકાસ થાય છે એવું નિરૂપણ કરતા) સિદ્ધાંતનું અધ્યયન કરેલું. એના પરિણામે જગતનું જે ચિત્ર નજર સામે આવ્યું, તેણે મને ગૂંચવી દીધો. એ સાહિત્યના લેખકોની પ્રામાણિકતા વિશે તો લેશમાત્ર આશંકાને સ્થાન હતું જ નહીં. પોતપોતાના ક્ષેત્રમાં તેઓ આદરપાત્ર વિદ્રત્તા ધરાવનારા હતા, અને એવા માણસો જાણીજોઈને જગતને ઊંધે પાટે ચડાવવાની નીચ મનોવૃત્તિ દાખવે એ વિચાર તો હું સ્વપ્નમાં પણ ન કરી શકું. “દૂર દૂર બની રહેલા બનાવો હવે હું, અનેક પ્રસંગે, અંત:સ્ફરણા દ્વારા જાણવા લાગ્યો – ખાસ કરીને કેરાલાના અમારા ઘેર બનતી ઘટનાઓ અને વાર્તાલાપોની મને આ રીતે જાણ થતી રહેતી; અને મારા પિતાને પત્ર લખી હું એની સચ્ચાઈની ખાતરી મેળવતો રહેતો. આ આશ્ચર્યકારી અનુભવોની પાછળ પાછળ યોગવિષયક ગ્રંથોખાસ કરીને પોલ ખૂંટન, થીઓસ બર્નાર્ડ અને અન્ય લેખકોના ગ્રંથોતેમજ થિયોસૉફી અને તિબેટીય રહસ્યવાદને લગતા ગ્રંથોનો પ્રવાહ શરૂ થઈ ગયો. તે છતાં આનું રહસ્ય મેળવવામાં હું નિષ્ફળ રહ્યો; આવી શક્તિઓની પ્રાપિત કે એનો સ્વાધીન પ્રયોગ કરવાની ક્ષમતા કેવી રીતે પ્રાપ્ત કરવી એ વિશેની કોઈ વ્યવહારુ ચાવી તે પુસ્તકોમાંથી મને ન લાધી. છતાં હજી ન તો મેં ગુરુની શોધખોળ આરંભી હતી, કે ન કોઈ ગુરુનો મને ભેટો થયો હતો. ઈ. સ. ૧૯૫૧ હું દિલ્હીમાં હતો તે વખતે કલકત્તાથી મારા એક મિત્ર દારા શ્રોફે પી. ડી. ઉપેન્ક્રીનું પુસ્તક “ઈન સર્ચ ઑફ ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy