SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ છૂટવા, દેહની ચિંતા મૂકવી પડશે. ૫. ‘આત્માથી સૌ હીન’ લાગે ત્યારે મોક્ષ સમજાય છે. દેહભાવ છોડવા, દેહાધ્યાસથી દોહરા દેહભક્ત જગમેં ઘણા, દેશભક્ત છે સ્તોક; દેવભક્ત જગમેં ઘણા, ગુરુભક્ત છે કો’ક. પ.પૂ.બ્રહ્મચારીજી ન ચાલે તો પ્રતિશ્રોતી થા. કંઇ ન બની શકે તો, પ્રતિશ્રોતી એટલે સ્વીકારનાર થા, એક૨ા૨ ક૨, મારાથી નથી થતું પણ કરવા જેવું તો આછે એમ રાખ. પ્રતિશ્રુતિ એટલે વાદા-પ્રતિજ્ઞા, પ્રતિધ્વનિ, ગૂંજ, ઝાંય, એકરાર. વચનામૃતજી જેવું સદ્ભુત જો કાને પડ્યું હશે તો તેનો પડઘો જરૂર પડશે. તે વચનો અવશ્ય ગૂંજશે. એમાં રહેલા પ્રકાશની ઝાંય જરૂર પડશે. શ્રી હારિભદ્રસૂરિજી (૧૪૪૪ ગ્રંથના પ્રણેતા) કૃત ‘યોગબિંદુ’ ગ્રંથમાં, શ્લોક ૨૦૨માં પ્રતિશ્રોત શબ્દ યોજયો છે, જેનો અર્થ સંસાર વિમુખ કે આત્મોન્મુખ થાય. એ અર્થ પણ અહીં બેસે છે. વળી, શ્રી હેમચંદ્રાચાર્યજી ‘વીતરાગ સ્તવ’ના ૧૮મા પ્રકાશમાં, પ્રતિશ્રોતી એટલે પ્રવાહની સામે જનાર, પ્રવાહથી પ્રતિકૂળ જનાર એવો અર્થ જણાવે છે. આ અર્થ પણ અહીં ઘટી શકે છે. જગતનાં વહેણની સામે જ ભગતે, ભક્તે.. .મુમુક્ષુએ કે મોક્ષેચ્છુએ જવાનું છે ને ? અનુશ્રોતે વહેવું સહેલું છે, સુલભ છે પણ પ્રતિશ્રોતે જવું વિકટ અને દુર્લભ છે. Jain Education International ૬૯ તો, તાર્કિક શિરોમણિ આચાર્ય શ્રી સમંતભદ્ર સ્વામીની રચના ‘યુક્ત્યનુશાસન’ જેની સુંદર ટીકા પંડિત જુગલકિશોર મુખ્તારજી (‘મેરી ભાવના' રચિયતા) એ કરી છે, તેમાં દરેક જીવે નિરંતર શ્રોતી ભાવના ભાવવાની પ્રેરણા કરી છે, વિધિપૂર્વક – Positively અને નિષેધપૂર્વક - Negatively. હરિગીત હકારાત્મક રીતે, નિગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નિરાગ, નિર્મદ સર્વદોષ વિમુક્ત છે. વચનામૃતજીમાંથી જ વાત કરીએ તો, આવ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ અનુસા૨, દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. કાળથી અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દેષ્ટા છું. હું અસંગ, શુદ્ધ ચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું, તેમાં સંશય શો ? હું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સ્વયંજ્યોતિ, સુખધામ છું. આ Positive શ્રોતી ભાવના. હરિગીત નકારાત્મક રીતે, સ્ત્રી-પુરુષ આદિક પર્યાયો, રસ-વર્ણ-ગંધ-સ્પર્શને, સંસ્થાન તેમજ સંહનન, સૌ છે નહીં જીવ દ્રવ્યને. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy