SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સામાયિક : ગુરુવંદન કરીને વિધિ મુજબ ‘સામાયિક' લેવું. (૨) પ્રત્યાખ્યાન (આવશ્યક)પછી પાણી વાપર્યુ હોય (તિવિહાર-ઉપવાસ આદિનું પચ્ચક્ખાણ કરેલ હોય તેમને) તો ખમાસમણ આપીને ‘યોગ-મુદ્રા'માં આદેશ માંગવો કે ‘ઈચ્છાકારેણ સંદિસંહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ગુરુભગવંત કહે “પડિલવેહ' ત્યારે ‘ઈચ્છું' કહીને યથાજાત મુદ્રામાં મુહપત્તિનું પડિલેહણ ૫૦ બોલ થી કરવું. દિવસ દરમ્યાન આહાર-પાણી વાપરેલ હોય (આયંબિલ થી નવકારશી સુધીનું પચ્ચક્ખાણ કરેલ હોય તેમણે) મુહપત્તિ પડિલેહણ પછી બે વાંદણાં (દ્વાદશાવર્ત વંદન) સુગુરુ-વંદણ સૂત્ર દ્વારા આપવાં, બીજા વાંદામાં “ આવસિયાએ' ન બોલવું અને ગુરુના અવગ્રહમાં રહીને યોગમુદ્રામાં આદેશ માંગવો કે ‘ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણ કરાવશોજી' ! ત્યારે ગુરુભગવંત અથવા વડીલજન તેઓ ન હોય તો પોતે નીચે લખેલ પચ્ચક્ખાણ અનુસાર પચ્ચક્ખાણ લેવું. ચઉવિહાર ઉપવાસવાળાએ ‘સૂરે ઉગ્ગએ લેવું, તિવિહાર ઉપવાસવાળાએ 'પાણહાર' લેવું. ઠામ ચઉવિહાર આયંબિલ-એકાસણ-નીવિ કે બિયાસણ શ્રી દેવસિઆ - પ્રતિક્રમણની વિધિ (૩) ચૈત્યવંદનાદિ . વાળાએ દિવસ ચરિમં પચ્ચખામિ ચઉવિહંપિ આહારં લેવું; આયંબિલ, એકાસણ, બિયાસણ, નીવિ કર્યા બાદ નિવિહારનું પચ્ચક્ખાણ કરનારે અને નવકારશી આદિ કરનાર છૂટાવાળાએ બપોરે કે સાંજે જમ્યા પછી તિવિહારનું પચ્ચક્ખાણ કરી ફક્ત પાણીની જ છૂટ રાખેલ હોય, તેઓએ ‘પાણહાર'નું પચ્ચક્ખાણ લેવું અને તે સિવાય નવકારશી થી અવર્ડ્ઝ સુધીના પચ્ચકખાણવાળાએ શક્તિ હોય તો દિવસ ચરિ પચ્ચકખાઈ, ચઉવ્વિ ંપિ આહારં' અથવા ‘દિવસ ચરિમં પચ્ચકખાઈ તિવિહંપિ આહારં' નું પચ્ચક્ખાણ લેવું'. સમાધિ આદિના વિશેષ કારણે ઔષધ સેવનની જરુર હોય તો ગુરુભગવંતને નિવેદન કર્યા પછી અનુમતિ મેળવીને જ 'દિવસ ચરિમં પચ્ચક્ખાઈ દુવિહંપિ આહારનું પચ્ચક્ખાણ લેવું. ૧૪ નિયમની ધારણા કરનારે રાત્રિ સંબંધિત ૧૪ નિયમની ધારણા સામાયિક લીધા પહેલાં કરેલ હોય તો ‘દેશાવગાસિઅં ઉપભોગ પરિભોગ પચ્ચક્ખાઇ' નું પચ્ચક્ખાણ લેવું, અને બે પ્રતિક્રમણ સહિત ૧૦ સામાયિક કરનારે પણ -દેશાવગાસિએ ઉપભોગ પરિભોગ પચ્ચક્ખાઇ' નું પચ્ચક્ખાણ લેવું. પચ્ચક્ખાણ લેનાર મહાનુભાવે ‘પચ્ચક્ખાઈ” ના સ્થાને ‘પચ્ચક્ખામિ’ અને ‘વોસિરઈ’ ના સ્થાને ‘વોસિરામિ’ બોલવાનું કે ધારવાનું ધ્યાન રાખવું. " ૨૩૮ Jain Education International પચ્ચક્ખાણ લઈ અવગ્રહની બહાર નિકળવું. પછી ગુરુભગવંત સામુહિક 'ઈરિયાવહિયે' કરાવતા હોય તો સાથે કરવા. પણ જો પચ્ચક્ખાણ લીધા બાદ કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કર્યા વગરનો સમય પસાર થયેલ હોય અથવા વચ્ચે કોઈ વિશેષ આરાધના ન કરેલ હોય તો ‘ઈરિયાવહિયે' કરવાની જરૂર નથી. પછી ખમાસમણ આપી પુરુષોએ ખેસનો સુોગ્ય રીતિએ ઉપયોગ કરી આદેશ માગવો કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું' ગુરુ ભગવંત કહે ‘કરેહ’ ત્યારે કહેવું ઈચ્છું', પછી ચૈત્યવંદન અવસ્થામાં નીચે બેસીને યોગમુદ્રામાં પૂ. ગુરુ ભગવંત કે વડીલજન કે પોતે ‘સકલ કુશલ વલી..' બોલ્યા પછી ભાવવાહી ગુજરાતી | હિન્દી | સંસ્કૃત | પ્રાકૃત / અપભ્રંશ ભાષામાં પૂર્વાચાર્યોએ રચેલ ચૈત્યવંદન બોલવું, ‘પછી જે કિંચિ નામ તિર્ત્ય' સૂત્ર બોલી નમુન્થુણં સૂત્ર બોલ્યા બાદ ઉભા થઈ ‘અરિહત ચેઈઆણં' અન્નત્ય સૂત્ર બોલી જિનમુદ્રામાં એકવાર શ્રી નવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો. થોય નો આદેશ લેનારે નમો અરિહંતાણં' અરિહંતાણં' બોલવાપૂર્વક કાઉસ્સગ્ગ પારીને (પુરુષોએ) ‘નોર્હતુ' બોલીને શ્રી કલ્લાણ કંદ સૂત્રની પહેલી ગાથા યોગ-મુદ્રામાં બોલવી. તે સિવાયના ભાવિકો કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને જ થોય સાંભળે અને સાંભળ્યા બાદ ‘નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારે. (દરેક માસની સુદ અને વદ-૧૩માં અને પક્ખીચૌમાસી-સંવત્સરી પ્રતિક્રમણના આગલા દિવસે અને એક સ્થાનથી બીજા સ્થાને સંથારો કરનાર પૂ. મહાત્માઓને ચોયમાં ‘શ્રી કલ્લાણ કંર્દ સૂત્ર' જ બોલાય, દરેક માસની સુદ અને વદ-૮ ના દિવસે (માંગલિક પ્રતિક્રમણ ન હોય તો) ‘શ્રી સંસાર દાવાનલ' સૂત્રની થોય બોલાય. તે સિવાય ના દિવસોમાં પરમાત્માના કલ્યાણક અનુસાર અથવા કોઈ ભાવવાહી ગુજરાતી / હિન્દી / સંસ્કૃત / અપભ્રંશભાષામાં પૂર્વાચાર્યોએ રચેલ થોય ના જોડા બોલાય. પછી લોગસ્સ સૂત્ર બોલી ‘સવ્વલોએ અરિહંત ચેઈઆણં સૂત્ર'- ' અન્નત્ય સૂત્ર' યોગમુદ્રામાં બોલીને જિનમુદ્રામાં એક્વાર શ્રીનવકાર મહામંત્રનો કાઉસ્સગ્ગ કરી યથાવિધિ (ઉપર જણાવ્યા મુજબ) પારીને શ્રી કલ્લાણ કંદ સૂત્રની બીજી શોચ બોલવી. પછી ‘શ્રી પુખ઼ર-વર-દ્દીવઅે સૂત્ર' બોલી ‘સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ-અન્નત્થસૂત્ર' યોગમુદ્રામાં બોલીને જિનમુદ્રામાં એકવાર શ્રી નવકારમહામંત્રનો કાઉસ્સગ્ગ કરી યથાવિધિ પારીને શ્રી કલ્લાણ કંદ સૂત્રની ત્રીજી પોય બોલવી. પછી ‘શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર', ‘વૈયાવચ્ચ-ગરાણ સૂત્ર', ‘અન્નત્યં સૂત્ર' યોગમુદ્રામાં બોલીને જિનમુદ્રામાં એક્વાર શ્રી નવકારમહામંત્ર નો કાઉસ્સગ્ગ કરી યથાવિધિ પારીને ફક્ત પુરુષોએ ‘નમોડર્હતુ' બોલી “ શ્રી Personal Use Only www.jamellty
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy