SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી અરિહંતચેઇઆણં સૂત્રની ત્રણ સંપદા અને અન્નત્યસૂત્રની પાંચ સંપદા અંગે ૧. અશ્રુપગમસંપદા : એક ચૈત્ય (દેરાસર) માં રહેલી પ્રતિમાઓની આરાધના કરવા માટે કાયોત્સર્ગ કરવાનું સ્વીકારેલું હોવાથી આ બે પદવાળી ‘અરિહંત ચેઇઆણં થી.... કાઉસ્સગ્ગ' સુધીની અષ્ટુપગમસંપદા છે. ૨. નિમિત્ત સંપદા ઃ કાયોત્સર્ગ કરવાનું નિમિત્ત (પ્રયોજન) આ ૬ પદવાળી સંપદામાં ‘વંદણ વત્તિયાએ થી..... નિરુવસગ્ગવત્તિયાએ’ સુધીમાં જણાવેલ હોવાથી નિમિત્ત સંપદા છે. ૩. હેતુ સંપદા : શ્રદ્ધાદિ વિના કરેલો કાયોત્સર્ગ ઇચ્છિતફળને આપવા સમર્થ બને નહિ, તેથી કાર્યોત્સર્ગના હેતુ ને આ ૭. પદવાળી “સદ્ધાએ થી . ઠામિકાઉસ્સગ્ગ' સુધીની હેતુ સંપદા છે. .... ૪. એક્વયનાંત આગાર સંપદા : કાર્યોત્સર્ગમાં અનિવાર્ય છૂટ (આગાર) એકવચનાંત વાળા ૯ પર્દામાં ‘અન્નત્ય થી... ભમલીએ પિત્તમુચ્છાએ' સુધી બતાવેલ હોવાથી તે એકવચનાંત આગાર સંપદા છે. ૫. બહુવચનાંત આગાર સંપદા : કાયોત્સર્ગમાં અનિવાર્ય શ્રી અતિભગવંતના ચૈત્ય (- પ્રતિમા અથવા જિનમંદિર) નું આલંબન લઇને કાયોત્સર્ગ કરાય છે. તેઓનું આલંબન (ટેકો-આધાર) લેવાથી મન સ્થિર થતું હોય છે. તેથી પહેલાં તેમના વંદનનું નિમિત્ત લઇને વંદણ વત્તિયાએ ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. પછી પૂજનનું નિમિત્ત લઇને પૂઅણ વત્તિયાએ, સત્કારનું નિમિત્ત લઈને સક્કાર વત્તિમાએ સન્માનનું નિમિત્ત લઇને સમ્માણ વત્તિયાએ, બૌધિલાભનું નિમિત્ત લઇને બોહિલાભ વત્તિયાએ અને મોક્ષનું નિમિત્ત લઇને નિરુવસગ્ગ વત્તિયાએ દ્વારા ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. તેનાથી (વંદનાદિથી) જે લાભ મળે છે, તે મળે એવી ઇચ્છા રાખવામાં આવે છે. Jain Education Interave ul તેમજ જો શ્રદ્ધા (આસ્થા) કેળવવામાં આવે, સમજણ (મેધા-બુદ્ધિ) ખીલવવામાં આવે, ધીરજ (વૃત્તિ, ચિત્તની સ્વસ્થતા) રાખવામાં આવે, ધારણા (પદાર્થના દૃઢ છૂટ (આગાર) બહુવચનાંત વાળા ત્રણ પદોમાં ‘સુહુમેહિં...... થી. દિઠ્ઠિ સંચાલેહિં' સુધી બતાવેલ હોવાથી, તે બહુવચનાંત આગાર સંપદા છે. ૬. આગંતુક આગાર સંપદા : એન્વયન અને બહુવચનના અંતમાં કહેલા આગર સિવાય ઉપલક્ષણથી અન્ય મોટા ચાર આગાર ૬ પદવાળી એવમાઇ એહિં.... થી.... કાઉસગ્ગ સુધી સંપદાને આગંતુક આગાર સંપદા કહેવાય છે, ૭. ઉત્સર્ગ અવધિ સંપદા ઃ કાયાનો ઉત્સર્ગ (ત્યાગ) કેટલા સમય માટે કરવાનો છે, તે અવધિ (મર્યાદા) ને જણાવનારી ૪ પદવાળી ‘જાવ અરિહંતાણં.... થી.... ન પારેમિ' સુધીની સંપદાને ઉત્સર્ગ અવધિ સંપદા કહેવાય છે. આ સૂત્રમાં આવતા ક્રમ અંગેનું રહસ્ય ૮. સ્વરુપ સંપદા ઃ કાયોત્સર્ગ કેવી રીતે કરવો, તેનું સ્વરુપ બતાવતી ૬ પદવાળી સંપદાને ‘તાવ કાર્ય.... થી... અપ્પાણે વોસિરામિ' સુધીની સ્વરુપ સંપદા કહેવાય છે. સંક્લનરુપ) નો અભ્યાસ કરવામાં આવે અને અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વનું ચિંતન) નો ફરી-ફરીવાર આશ્રય લેવામાં આવે, તો ચિત્ત એક વિષયમાં એકાગ્ર થઇ શકે. આવી ચિત્તની એકાગ્રતા સાથે કરેલો કાયોત્સર્ગ કર્મનિર્જરામાં અપૂર્વ સહાયક બનતો હોય છે. આ સૂત્રને લધુ ચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે. અનેક જિનાલયોના દર્શન-વંદનનો અવસર એક સાથે આવે, ત્યારે દરેક સ્થળે ચૈત્યવંદન કરવું શક્ય ન હોય ત્યારે સત્તર સંડાસા (માર્જના) સાથે ત્રણવાર ખમાસમણ આપ્યા પછી યોગમુદ્રામાં આ શ્રી અરિહંત ચૈઇઆણં સૂત્ર બોલીને એક શ્રી નવકારમંત્રનો કાયોત્સર્ગ કરી સ્તુતિ-થોય બોલીને ફરીવાર એક ખમાસમણ દેવાથી લઘુ ચૈત્યવંદનનો લાભ મળતો હોય છે. For Private & Personal Use www.jainullbrary.org, 18 99
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy