SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ સમિતિ પાંચ વ્રતો પાળવામાં સહાયક છે. * શમ, સંવેગાદિ ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ છે. ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિક્યથી ઉત્ક્રમ સમજવાનો છે. પ્રથમ આસ્તિકતા. પછી અનુકંપાદિ એમ ઉલટું સમજવું. ૧લા વ્રતથી સમ્યકત્વ પ્રગટે. હિંસા સમ્યક્રદર્શનનો નાશ કરે. ૧લાવ્રતથી દયા પ્રેક્ટીકલ બને છે. અહિંસા સખ્યત્વીના હૃદયમાં હોય છે. પણ વ્રતધરને અમલમાં આવી છે. વિરતિ લીધા પછી જો જયણા વગેરેમાં કોઈ ઉપયોગ ન રાખીએ ૩-૪ દિવસે કાપ કાઢીએ, પાણી અનાપ-સનાપઢોળીએ તો ક્યાં રહ્યું ૧૯ વ્રત? જયણા વિના જીવનો ઉદ્ધાર નથી. મહાનિશીથમાં આવે છે કે એક ઉગ્ર તપસ્વી નિગોદમાં ગયો. કારણ જણાનું જ્ઞાન નહોતું. જયણા - અજયણાનું ભાન જ ન હોય તે શું જયણા પાળવાનો? પાપકર્મનો બંધ અજયણાથી નહિ અટકે. ૧૮ હજાર શીલાંગના પાલનથી અજયણા અટકે. પેલા તપસ્વીને ગુરુએ અજયણા માટે ટકોર કરી, પ્રાયશ્ચિત્ત આપ્યું પણ પેલોન જ માન્યો. હા... એ ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત તપ દ્વારા પુરું કરતો, પણ જયણા તો જીવનમાં નહિ જ. આથી તે મરીને ૧લા દેવલોકમાં ગયો. ત્યાંથી વાસુદેવ બન્યો ત્યાંથી નરકમાં ગયો. પછી હાથીના ભવમાં ને પછી અનંતકાળમાટે ઠેઠ નિગોદમાં ચાલ્યો ગયો. વધુ ઉંચાઈએથી વધુ નીચે ગબડે. રસ્તામાં ચાલનારો પડે ને ઉપરની બિલ્ડીંગથી કોઈ પડે, તો ફરક પડે ને? તમારા કરતાં મને ૧૦ ગણું વધુ પ્રાયશ્ચિત આવે; જો હું ભૂલ કરું! બીજું વ્રત જૂઠું બોલવામાં અભિમાન મુખ્ય કારણ છે. આ બાજુ બીજો કષાય અભિમાન છે. જૂઠું બોલીને પણ માણસ પોતાના ખભાને ટટ્ટાર રાખશે. એને ઉપમિતિમાં ... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy