SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ખુલ્લો થાય પ્રયાણમાં આગળ વધે. જેઓ આવા હોય, તેમણે પોતાનું ગુરુપદ સફળ બનાવ્યું છે. લઘુ = હલકું, ગુરુ - મહાન. ઉત્તમ જીવન જીવીને, ગુરુ, “ગુરુ” શબ્દને સાર્થક બનાવે છે. ગુરુના બધા ગુણોમાં “અનુવર્તક ગુણને ખૂબ જ મહત્તા આપી છે, જેથી શિષ્યો ખૂબ જ સારા તૈયાર થાય. પ્રેરણા- ઈચ્છા પ્રયત્ન વગેરે ખૂબ જ હોવા છતાં શિષ્યોનેયાર નથાયતો ગુરુ દોષના ભાગી થતા નથી. ગુરુએ તે માટે સંપૂર્ણ પરિશ્રમ કરેલો છે. ભગવાનના સમયમાં જમાલિ સ્વયં ભગવાનનું નથી માન્યા. ભગવાન શું કરી શકે? ગુરુ શું કરી શકે ? પ્રેરણા – ઉપદેશ વિ. હિતશિક્ષા આપે, પણ પેલાએ ન માનવાનું જ નક્કી ક્યું હોય તો? તો હવે ગુરુ પર કોઈ જ દોષ નથી. આખરે ગુરુની પણ મર્યાદા હોય છે. પ્રશ્નઃ અપરાધ શિષ્યનો, ગુરુને શાનું પાપ? કરે તે ભોગવે. ઉત્તરઃ આજ્ઞા – ભંગ થવાથી દોષ લાગે, શિષ્યના પાપ ગુને આવી જાય એમ નહિ, પણ ભગવાનની આજ્ઞાનો લોપ થયો તેનો દોષ લાગે. જે આજ્ઞા પાળી શકે તેવો ન હોય તેને પહેલાથી ગુરુએ દીક્ષામાટે ના પાડી દેવી જોઈએઃ હું તમને સંભાળી શકું તેમ નથી. ના પાડવા માટે બહુજ સત્વ જોઈએ. ગુરુની જઘન્ય યોગ્યતા: સૂત્રાર્થ- વિજ્ઞ, સાધ્વાચારના પાલક, શીલવાન, ક્રિયાકલાપમાંકુશળ, અનુવર્તક, શિષ્યનું ધ્યાન રાખનાર - પ્રતિજાગરૂક, આપત્તિના સમયે પણ અવિષાદી. આટલા ગુણો તો ગુરુમાં હોવા જ જોઈએ હવે દીક્ષાર્થીના ૧૬ ગુણો ૧) આર્યદેશ સમુત્પન્નઃ આર્યભૂમિ (ભારતભૂમિ)માં ઉત્પન્ન થયેલો હોય એટલે કે બીજ આર્યભૂમિનું હોય. ૨) શુદ્ધજાતિકુલાન્વિતઃ માતાની જાતિ, પિતાનું કુળ – બન્ને ઉત્તમ જોઈએ. માણસો ઘણા છે, પણ બધા કાંઈ ઉત્તમ નથી હોતા. નીચકુળના, અનાર્યદેશના માણસોમાં સહજ રીતે જ યોગ્યતા ઓછી હોય છે. ૪. વિમલબુદ્ધિઃ રત્નની કિંમત બુદ્ધિહીન ન કરી શકે. કહે કલાપૂર્ણસૂરિ ... ••. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy