SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પદોનો ભાવ સહજ રીતે અધ્યાત્મગીતાની ઉપરની પંક્તિમાં ગોઠવાઈ ગયો છે. * અનાદિકાળથી જીવમોહાધીન છે. અનુકૂળવિષયો ભોગવવા આસક્તિપૂર્વક આતુર છે. આસક્તિથી વધુ ને વધુ પુદ્ગલો (કર્મો) ચોટે. એરંડીયાનું તેલ લગાવી ધૂળમાં આળોટોશું થાય? આથી જ નિયાણાની ના પાડી છે. આસક્તિ વિના નિયાણુંન થાય. * “શરીર એ હું છું પરકર્તત્વનો આવો ભાવ રહે ત્યાં સુધી કર્મબંધાયા જ કરે. * માત્ર ભણવાથી પંડિત થવાય, પણ આત્માનુભવી થવા જ્ઞાની થવું પડે, આત્માને વેદવો પડે, અધ્યાત્મગીતા જેવા ગ્રંથો આત્મા તરફ વાળે છે. * શુભભાવોથી પુણ્ય બંધાય, પણ ગુણ સંપાદન કરવું હોય, આત્મશુદ્ધિ કરવી હોય, મોક્ષ જોઈતો હોય તો શુદ્ધભાવ જોઈએ; ભક્તિથી જ આ શક્ય બને. * બીજા જીવોની રક્ષા પણ સ્વભાવપ્રાણ ટકાવવા માટે જ છે. ભાવહિંસક આપણે પોતે જ બનીએ છીએ, જ્યારે વિભાવદશામાં જઈએ. * પરહિંસાથી આપણા ભાવપ્રાણહણાય છે, માટે જ દોષ લાગે છે. પરહિંસાથી મરનારના તો દ્રવ્યપ્રાણ જ જાય, પણ આપણા ભાવપ્રાણ જાય છે. પોતાના ગુણોનો નાશ કરવો તે સ્વ- ભાવહિંસા છે. આત્મગુણોને હણતો ભાવહિંસક કહેવાય. જીવે અત્યાર સુધી આ જ કામ છે. આ રીતે પરની અને સ્વની હિંસા જ કરી દા.ત. ગુસ્સામાં જેમ તેમ બોલ્યા. આથી સામાને પણ ગુસ્સો આવ્યો. અહીં બન્નેના ભાવપ્રાણોની હિંસા થઈ. “સ્વગુણ રક્ષણા તેહ ધર્મ” સ્વગુણ - વિધ્વંસના તે અધર્મ આનૈશ્ચયિક અર્થ છે. બીજાની રક્ષા કરતાં, બીજાની જ નહિ, આપણી પણ રક્ષા થાય છે. માટે જ સાધુ માટે પ્રમાદ એ જ હિંસા કહેવાય છે. હિંસા ન થઈ હોય, પણ સાવધાની ન હોય, પ્રમાદ હોય તો હિંસાનો દોષ લાગે જ. ‘પ્રમત્તયાત્ પ્રણવ્યપરોપાં હિંસ’ - તત્ત્વાર્થસૂત્ર. ૫૦ ••• .. કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy