SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન, નિવા૨, જ્ઞાનપંચમી, ૧૩-૧૧-૯૯. * માનવ ભવ પંચેન્દ્રિય – પરિપૂર્ણતા વગેરે ખૂબ-ખૂબ આપણને મળ્યું છે, પણ એના સદુપયોગની કળા ગુરુ પાસેથી ન મેળવી તો બધું નિરર્થક છે. * જૈનકુળમાં જન્મ્યા એટલે ઓઘથી પણ નવકાર ગણવા, દર્શન-પૂજાર્થે જવું, વ્યાખ્યાનમાં જવું વગેરે સ્વાભાવિક રીતે મળી જ જાય. * પ્રભાવનાના લોભે પણ પૂજાદિ અર્થે જવાનું થાય. અમે પોતે પ્રભાવનાના લોભે જતા. પ્રભાવનામાં ગરબડની બીકે તે બંધ ન કરાય. નેમિસૂરિના લોદી – ચાતુર્માસ વખતે ગરબડના કારણે પ્રભાવના બંધ રાખવામાં આવી, પણ નેમિસૂરિજીએ હાક મારીને ફરી શરૂ કરાવેલી. * આજે જ્ઞાન-પંચમી છે. જ્ઞાનમાં પ્રમાદ કરીએ તો જ્ઞાનકુશીલ કહેવાઈએ. એ પ્રમાણે બીજે પણ દર્શનકુશીલાદિ પણ સમજવા. પાંચ પ્રહર સ્વાધ્યાય આદિ ન કરીએ તો જ્ઞાનકુશીલનું વિશેષણ મળી જાય. જ્ઞાનનું ફળ વિરતિ મળે ત્યારે તે જ્ઞાન સફળ બને. જડથી આપણને ભિન્ન બતાવનાર જ્ઞાન છે. જ્ઞાન જીવનો ભાવપ્રાણ છે. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International દ્રવ્યપ્રાણ ચાલ્યા જાય, અહીં જ રહી જાય, ભાવપ્રાણ સાથે જ રહે. ભાવપ્રાણ ન હોય તો દ્રવ્યપ્રાણની કોઈ કિંમત નથી. મડદું જુઓ. તેમાં દ્રવ્યપ્રાણ છે, પણ ભાવપ્રાણ For Private & Personal Use Only ... ૪૬૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy