SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાના દ્રવ્યપ્રાણોની જેમ ભાવપ્રાણોની પણ રક્ષા કરવાની છે. એને ગુસ્સો ન આવે, વગેરેની પણ કાળજી રાખવાની છે, એવું આપણે સમજ્યા છીએ ખરા ? આમ ભાવ અધ્યાત્મ અનુસારી પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે જ સંસારનો છેદ શરૂ થાય. દ્રવ્યથી ગુરુ-નિશ્રા મળી હોય તે નહિ, પણ ગુરુમાં ભગવદ્ગુદ્ધિ, તારકબુદ્ધિ પેદા થઈ તે યોગાવેંચકપણું છે. આવો આત્મા પ્રભુની વાણી સાંભળે, સદ્દહે અને આચરે. * મેઘકુમારનો જીવ હાથીમાંથી આવેલો. પ્રથમ જ દેશનથી કેમ વૈરાગ્ય આવ્યો ? પૂર્વભવમાં જે સસલાની નિષ્કામભાવે દયા કરેલી તેના પ્રભાવે. (૧) સંસાર પરિમિત કર્યો. (૨) મનુષ્ય જન્મ મેળવ્યો. (૩) તીર્થંકર જેવા ગુરુ પ્રાપ્ત કર્યા. આ ત્રણ વસ્તુ તેણે મેળવી લીધી. એમ ઉપદેશ-પદમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. આ અધ્યાત્માનુગત ક્રિયા કહેવાય. * યથાપ્રવૃત્તિકરણને અવ્યક્ત સમાધિ કહી છે. અવ્યક્ત એટલા માટે કે હજુ સમ્યક્ત્વ નથી મળ્યું. * ગુણોની પ્રાપ્તિ હંમેશ ગુણોની અનુમોદના અને રુચિદ્વારા જ થાય. એ પહેલા ગુણો બારણે જ ન આવે. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ૪૬૧ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy