SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ “આતમગુણ આવરણે ન ગ્રહે આતમધર્મ, ગ્રાહક શક્તિ પ્રયોગે જોડે પુદ્ગલ શર્મ; પરલોભે, પરભોગને, યોગે થાયે પર-ર્તાર, એહ અનાદિ પ્રવર્તે, વાધે પર વિસ્તાર...” I૧૪ આપણી શક્તિઓ પુદ્ગલમાં લગાવીને આપણે પરનો વિસ્તારર્યો છે. ગુણનો વિકાસ જ સ્વ-વિસ્તાર કહેવાય. આત્મ-ગુણ વિના ભવોભવ ભટકવાનું જ છે. ભવ-ભ્રમણના ફેરા બંધ કરવા હોય તો ગુણ મેળવવા જ પડશે. મમતા દોષ છે. સમતા ગુણ છે. આ સમજાય છે? જાણવા છતાં મમતા વધારતા રહીએ તો શું કહેવાય? મૂર્છા આવી ત્યાં મમતા આવશે. મમતાથી સમાધિ ડહોળાશે. બધા જ દોષોએ ગુણોને અટકાવી મૂક્યા છે. જ્યાં ગુણ રહી શકે, ત્યાંજ દોષો રહે છે. આત્મપ્રદેશોની જગ્યા એટલી જ છે. જે જે દોષ છે, તેણે તેણે ગુણની જગ્યા દબાવી દીધી છે, એમ માનજો. દોષોની કેબિનેટ આપણી અંદર જામેલી છે. એ જે નક્કી કરે છે, તેમાં આપણે સહી કરતા રહીએ છીએ. આત્માની કર્તૃત્વ - ભોક્નત્વ – ગ્રાહક – રક્ષક શક્તિઓ આજે ક્યાં પ્રવર્તી રહી છે? તે જાણો છો? શક્તિ ઉલ્ટી ચાલે છે માટે જ આપણે જે તે વસ્તુ ભેગી કરતા રહીએ છીએ. આપણે બાળક જેવા છીએ. ચમકતા કાંકરાને પણ સંઘરવા લાગી જઈએ છીએ. આથી જ સંસાર વધી રહ્યો છે. શશીકાંતભાઈ: સંસારને નહિ, શાસનને લીલુંછમ રાખવા આશીર્વાદ માંગજો. ૨૦મી સદીનું છેલું દીપોત્સવી પર્વ છે. ગુરુ પાસેથી ન માંગો, પણ હું શાસનને શું આપી શકું એમ છું, એમ વિચારજો. દીપોત્સવી પર્વમાં સંકલ્પ કરજોઃ ૬ અબજની વસતિમાં જૈનો માત્ર એક ક્રોડ જ છે. એવસતિ પણ ઘટતી જાય છે. આપણા પર બહુ મોટી જવાબદારી છે. એક નાનકડી ચીઠી લખીને સંકલ્પ લખજો. મિશન એક્ટ બનાવો. તમારા આ જીવનનું ધ્યેય શું છે? એલખીને જણાવો. તમારા સંકલ્પને પૂર્ણ કરવા પ્રકૃતિ મદદ કરવા આવી પહોંચશે. આ પ્રકૃતિનો નિયમ છે. .... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy