SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયાર કરવા આવા પ્રયોગો કરતા. પ્રેમસૂરિજીએ સ્વયં ફળનો ત્યાગ કરેલો. કારણકે શિષ્યોને તેઓ ત્યાગી બનાવવા માંગતા હતા. મોટાભાગે ફળ દોષિત જ હોય. સર્વજીવોને અભયદાનની પ્રતિજ્ઞા લીધા પછી છકાયજીવની ક્યાંય વિરાધના ન થાય, તેની આપણે તકેદારી રાખવી જોઈએ. પ્રશ્નઃ અંદરના ભાવ લોકો શી રીતે જાણી શકે? ઉત્તર: પ્રાયઃ કરીને વિશુદ્ધભાવ બાહ્ય ચારિત્રની શુદ્ધિથી જાણી શકાય. બાહ્ય ચરણ હોય, આંતર ચરણ કદાચ ગુરુમાં ન હોય તો પણ શિષ્યને જરાય દોષ નથી. મારા ગુરુ આવા મહાન! આવા ઉચ્ચ! આવા ભાવથી તેની તોભાવોલાસવૃદ્ધિજ થવાની. અંગારમર્દકના શિષ્યો સ્વર્ગે ગયા છે. અંગારમર્દક પાસે ભાવ ચારિત્ર નહોતું અભવ્ય જીવ હતો. પણ શિષ્યો ગુરુ-વિનય કરીને પામી ગયા. એમનું બાહ્ય - ચારિત્ર ઉત્કૃષ્ટ હતું. માટે અયોગ્ય ગુરુમાં પણ યોગ્ય ગુરુના પરિણામ થઈ જાય તો દોષ નથી. શિષ્યનું તો કલ્યાણ નક્કી જ. પણ અહીં મોહન હોવો જોઈએ. નહિ તો કુગુમાં પણ સુગુરુની બુદ્ધિ આવી જાય, જે કલ્યાણકર નથી. -: અધ્યાત્મ ગીતા: * જ્ઞાનસંપત્તિ આપીએ તો ઋણમુક્તિ થાય, રાખી મૂકીએ તો વ્યાજ ચડે. * અધ્યાત્મગીતા એટલે લીધી છે કે એના ક્તના જીવનમાં અધ્યાત્મ વણાયેલું. હતું. એમના ઉદ્ગારો જ એમની અનુભૂતિને જણાવે છે. પૂ.દેવચન્દ્રજી, યશોવિજયજી, આનંદઘનજી, વીરવિજયજી, માનવિજયજી વગેરે અનુભવી પુરુષો હતા. એમની કૃતિઓ સાક્ષી આપે છે. * જીવન – નિર્વાહની કોઈ ચિંતા આપણી ઉપર નથી તો શા માટે આ સમય આપણે આત્મ-સાધનામાં ન લગાવી દઈએ? મકાન, ભોજન, પાણી વગેરે બધુ જ તૈયાર મળે છે. કોઈ ચિંતા નથી. અહીં રહીને પણ આત્મદષ્ટિ ન ખુલી તો હદ થઈ ગઈ. * નૈગમ અને સંગ્રહ નયે તો આપણને સિદ્ધત્વનું પ્રમાણપત્ર આપી દીધું, પણ જ્યારે શબ્દનય પ્રમાણ આપે ત્યારે ખરું માનવું. . કહે કલાપૂર્ણસૂરિ ૪૫૨ ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy