SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) અપરિણત : અપવાદ માર્ગી : કાચી રોટલી. શક્તિ જેટલું પણ નહિ કરનાર. (૩) પરિણત : સમતોલ. પાકી રોટલી. શક્તિ પ્રમાણે કરનાર. કેવળી ભગવંતે જે જ્ઞાનથી જોયું, તેનાથી અન્યથા વિધાન કરવાથી જિનાભંગાદિ દોષો લાગે છે. આ દોષ પ્રાણાતિપાતાદિથી પણ વધી જાય. કારણકે અહીં ભગવાન પ્રત્યે અશ્રદ્ધા થઈ. પોતાની જાત કે પોતાની બુદ્ધિ પર શ્રદ્ધા થઈ, ભગવાન પર ન થઈ. ‘ભગવાન ભૂલ્યા’ એ શબ્દ ક્યારે નીકળે ? મિથ્યાત્વનો ઘોર ઉદય હોય ત્યારે ‘ભગવાન ભૂલ્યા’ એવું વાક્ય જમાલિ ભગવાનની હાજરીમાં બોલેલા. આભિનિવેશિક મિથ્યાત્વથી ગ્રસ્ત બન્યા. ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું કોઈ પાપ નથી. પ્રશ્ન : બીજી (જૈનેતર) ધ્યાન પદ્ધતિમાં મિથ્યાત્વ લાગે ? ઉત્તર : બીજી ધ્યાન પદ્ધતિ સ્વીકારવાનુ મન ક્યારે થાય ? ભગવાન પર અશ્રદ્ધા થાય ત્યારે મારી પાસે બીજી ઘણી ધ્યાન-પદ્ધતિઓ આવી છે, મેં કદી તે તરફ નજર નથી કરી, કોઈને પૂછ્યું ય નથી. જે મળશે તે ભગવાન તરફથી જ મળશે, એવો વિશ્વાસ પહેલેથી જ હતો. * યુગપ્રધાન આચાર્યશ્રી મંગુ અમુક ક્ષેત્રમાં રહેવાથી રસનાને પરાધીન બન્યા. રાત-દિવસ ખાવાનો જ વિચાર. મરીને યક્ષ બન્યા. (નહિ તો વૈમાનિક દેવલોકથી ઓછું ન મળે.) ગટરની પાસેના દેવળમાંના ભૂત બન્યા. એ જગ્યાએથી પસાર થતા પોતાના શિષ્યોને પ્રતિબોધવા પોતાની (મૂર્તિની) જીભ બહાર કાઢી, લપ-લપ કરવા લાગ્યા. સાધુઓ ચમક્યા. યક્ષમૂર્તિ બોલી : હું પૂર્વભવનો તમારો ગુરુ છું. રસની આસક્તિના કારણે આજે હું દેવલોકમાં દુર્ગતિ પામ્યો છું. માટે આ રસનાથી સાવધાન રહેજો. માટે જ પંન્યાસજી મ. ‘‘આયંબિલનો તપ’, નવકારનો જપ, અને બ્રહ્મચર્યનો ખપ’’ આ ત્રણ પર ખાસ ભાર આપતા. ૪૩૨ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy