SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ બુધવાર, આ. વદ ૧૧., ૩-૧૧-૯૯. * જ્ઞાન આપણું સ્વરૂપ છે. તેને ક્ષણવાર પણ કેમ છોડાય ? સ્વરૂપ આપણને છોડે નહિ એ સાચું, પણ જ્યાં સુધી મિથ્યાત્વ બેઠેલું છે, ત્યાં સુધી અજ્ઞાન જ કહેવાય. * વ્યવહારથી જીવોના ૫૬૩ ભેદ સમજ્યા છીએ, નિશ્ચયથી સમજવાનું બાકી છે. છે. પહેલેથી જ નિશ્ચયની વાત કરવામાં આવે તો કાનજીમતની જેમ દુરુપયોગ થઈ શકે. સાતમા ગુણઠાણાની વાતો બાળજીવો સમક્ષ રજૂ કરાઈ અને તેમને કહેવામાં આવ્યું ઃ આ ક્રિયાકાંડ વ્યર્થ છે. - નયોનો દુરુપયોગ થવાની સંભાવનાથી જ તેની વાત ગૌણ કરવામાં આવી છે. પરમાત્મા જેવું જ આપણું સ્વરૂપ છે, એ નૈશ્ચયિક વાતનો પણ દુરુપયોગ થઈ શકે સ્વાધ્યાય આદિ વિધિપૂર્વક કરવાના છે. અવિધિથી થાય તો ગાંડપણ, રોગ, આદિ પણ થઇ શકે છે. રુષ્ટ થયેલા દેવો ઉપદ્રવ કરી શકે છે. પ્રશ્ન ઃ હમણાં કાંઈ એવું દેખાતું નથી. ઉત્તર ઃ સ્વાધ્યાય જ છોડી દીધો, પછી શું દેખાય ? Jain Education International કપડાં જ પહેરવાના છોડી દીધા તેના કપડા શું મેલા થાય ? કે શું ફાટે ? અવિધિથી કરાયેલા સ્વાધ્યાય આદિથી રોગ આદિ તો આવે જ, આગળ વધીને તે ચારિત્રધર્મથી ભ્રષ્ટ પણ થઈ જાય. આનાથી વધુ શું નુકશાની હોય ? કહે કલાપૂર્ણસૂરિ For Private & Personal Use Only ... ૪૨૩ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy