SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ન ગણાયમાટે જ વડી દીક્ષા પહેલા ૪ અધ્યયન શીખવા જરૂરી છે. * સમાધિ એટલે ચિત્તની પ્રસન્નતા! | વિનય, શ્રત, તપ અને આચારથી ચિત્તની પ્રસન્નતા વધે છે માટે જ દશવૈકાલિકમાં તેને સમાધિ કહ્યા છે. વિનયસમાધિ, શ્રુતસમાધિ ઈત્યાદિ. વિનય સમાધિનું કારણ છે, માટે વિનય-સમાધિ. ગુરુનો વિનય નહિકનાર કૂલવાલક, ગોશાલક સમાધિ મેળવી શકે? વિનયનું ફળ સમાધિ. અવિનયનું ફળ સંયમથી પતન! વિદ્યાથી નહિ, વિનયથી માણસ શોભે, વિનીતન હોય તો શ્રીમંત પણ ન શોભે, ધીમંત (બુદ્ધિશાળી) પણ ન શોભે. બધા ગુણો વિનય સાથે હોય તો જ દીપે. * ચારિત્રનિષ્ઠ બનવું હોય તેણે રોજ સ્વાધ્યાય કરવો જ રહ્યો. જ્ઞાનની મહત્તા માટે જ ૨૦ સ્થાનકમાં ૩ સ્થાન જ્ઞાન માટે બતાવ્યા છે. જ્ઞાનસારમાં છે. જ્ઞાન, વિદ્યા, અનુભવ આ ત્રણ અષ્ટક જ્ઞાન માટેના છે. નવા નવા ભાવો જાણવાથી સ્વાધ્યાય મગ્ન મુનિનું ચિત્ત આનંદિત થતું રહે છે. કમાણીના સમાચાર મળે તેમ તેમ તમે રાજી થાવને? તેમ જ્ઞાનીઓ જ્ઞાનવૃદ્ધિથી રાજી થાય. - જ્ઞાનથી શ્રદ્ધા વધે. જાણ્યા પછી તે પદાર્થ પર આપણો વિશ્વાસ અતિ દઢ થતો જાય છે. સ્વાધ્યાયથી અનુપ્રેક્ષા શક્તિ વધે. એક શબ્દ પરથી અનેક અર્થ કરવાની શક્તિ ધા. * અન્યદર્શનીઓ એક પ્રભુ-નામ પર આટલા ગાજે છે. એમને હજુ પ્રભુના આગમો નથી મળ્યા છતાંય. આપણે હજુ પ્રભુ-નામતો મહિમા સમજ્યા નથી. ભગવાન કેટલા ઉદાર? મોક્ષે ગયા તોય નામ મૂકતા ગયા. તમે તમારું પ્રતિષ્ઠિત નામ કોઈને વાપરવા આપો? તમને શંકા છે પેલો મારા નામે ઉધું-ચતું કરી નાખશે તો ભગવાને પોતાનું નામ વાપરવાની છૂટ આપી છે. છ મહિને પા (વા) ગાથા થતી હોય તો પણ નવું ભણવાનો ઉદ્યમ છોડવો નહિ, એમ જ્ઞાનીઓ કહે છે. આપણામાં આવો તો કોઈજ નહિ હોય જે છ મહિનામાં પા ગાથા ૪૧૨ ... ...... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy