SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ * અત્યારે પંચવસ્તુકમાં છ આવશ્યક ચાલે છે. અવશ્ય કરવાની ચીજ તે આવશ્યક. ગુરુવાર, આ. વદ ૫, ૨૯-૧૦-૯૯. એવું નથી કે સાંજે જ છ આવશ્યક કરવાના. આખો દિવસ છ આવશ્યકમાં જ જીવવાનું છે. દરેક ક્ષણ આવશ્યકમય હોવી જોઈએ. સાંજે તો માત્ર લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે. *દરેક ક્ષણે કર્મ જાગતું રહે છે તો આપણાથી કોઈપણ ક્ષણે કેમ ઊંઘી શકાય ? યુદ્ધ વખતે સૈનિક આરામ કરી શકે ખરો ? પ્રમાદ કરીશું તેટલો પરાજય નજીક આવશે, એવું દરેક સૈનિકને ખ્યાલ હોય તેમ સાધુને પણ ખ્યાલ હોય. રાગ-દ્વેષની સામે આપણી લડાઈ ચાલુ છે. - અરિહંતને શા માટે આપણે દેવ તરીકે પસંદ કર્યા ? તેઓ રાગ-દ્વેષના વિજેતા છે માટે. આપણે પણ રાગ-દ્વેષના વિજેતા બનવાનું છે એ માટે. “હાર્ય સાધમિ, તેદું વા પાતયામિ ।' ની પ્રબળ ભાવના જોઈએ. ૪૦૪ ... છ આવશ્યક આપણને યુદ્ધમાં જીતવાની કળા શીખવે છે. * ધ્યાન દ્વારા પ્રભુનો સ્પર્શ કરવો તે સમાપત્તિ છે. ઈન્દ્રિયો દ્વારા વિષયોનો સ્પર્શ ઘણીવાર ર્યો. હવે ઈન્દ્રિયોને પ્રભુ-ગામી બનાવવી છે, પ્રભુ-સ્પર્શી બનાવવી છે. આંખથી T.V. આદિ બહુ જોયા, હવે પ્રભુને જોવા છે. બીજા ગીતો ઘણા સાંભળ્યા, હવે જિન-વાણી સાંભળવાની છે. આડું-અવળું ઘણું વાંચ્યું, હવે જિનાગમ વાંચીએ. Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy