SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા કર્મમુક્ત બની ઉપર કઈ રીતે જાય છે ? તે જણાવવા ૪ દૃષ્ટાંતો બતાવ્યા છે. (૧) પૂર્વપ્રયોગ ઃ કુંભારનો ચાકડો દંડથી હલાવ્યા પછી પોતાની મેળે થોડીવાર ફરતો એ છે તેમ સિદ્ધો અહીંથી કર્મમુકત બન્યા પછી ઉપર જાય છે. કર્મમુક્ત થવું એ જ એક પ્રકારનો ધક્કો છે, પૂર્વપ્રયોગ છે. (૨) ગતિ પરિણામ : જીવનો સ્વભાવ છે ઉપર જવાનો. જેમ અગ્નિનો ઉપર જવાનો સ્વભાવ છે. (૩) બંધન છેદ ઃ એરંડાનું ફળ પાકતાં જેમ ઉપર જાય તેમ કર્મમુક્ત થતાં જીવ ઉપર : જાય. (૪) અસંગઃ માટીના સંગવાળી (લેપવાળી) તુંબડી ડૂબે, પણ માટીનો લેપ નીકળી જાય તો પાણીની સપાટી પર આવી જાય, તેમ કર્મનો લેપ નીકળતાં જીવ ઉપર જાય. * સિદ્ધોનું સુખ કેવું ? ઉપમા ન આપી શકાય તેવું. જન્મથી જ જંગલમાં રહેનારો ભીલ, શહેરમાં રાજાનું સુખ માણી આવે ને પાછો ઘેર આવે તો તે કેવી રીતે વર્ણવી શકે? એવી જ દશા શાનીઓની હોય છે. જાણે, પણ બોલી શકે નહિ. આવા સિદ્ધોની ઝલક ધ્યાનદશામાં યોગીઓ ક્યારેક જોઈ લે છે. એ સિદ્ધોનું ધ્યાન થવાથી આપણને સમાધિ લાગે છે. અરિહંતનું ધ્યાન અરિહંત બનાવે તેમ સિદ્ધનું ધ્યાન સિદ્ધ બનાવે છે. આવા સિદ્ધોનું ધ્યાન શી રીતે થઈ શકે ? એમના ગુણોનું, પ્રતિમાનું, ‘નમો સિદ્ધાણં’ એવા પદોનું આલંબન લેવાથી થઇ શકે. ધ્યાતા ધ્યેય ધ્યાન જ્ઞાતા જ્ઞેય જ્ઞાન સાધક સાધ્ય સાધન ઉપાસક ઉપાસ્ય ઉપાસના આ ત્રણેયનું એકીકરણ સમાપત્તિ છે. * નવપદો અંગે જેટલી આજે કૃતિઓ મળે છે, એ કૃતિઓ, એમણે ધ્યાનથી અનુભૂતિ કરીને બનાવેલી છે. ‘બનાવેલી છે.’ એમ કહીએ તે કરતાં ‘બની ગઈ છે.’ ૩૫૮ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy