SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના કોઈ પદાર્થો પોતાનો સ્વભાવ બદલતા નથી. ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિતે શીત મીટાવે; સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ-ગુણ પ્રેમ સ્વભાવે...” પ્રભુનો સ્વભાવ છે આ. એ ન બદલાય. સહાયતા, સાધના, સહનશીલતા – આ સાધુનો સ્વભાવ છે. એ કેમ જાય? જાય તો સાધુતા શી રીતે રહે? * જીવદળ પત્થર છે. ગુરુ શિલ્પી છે. વેસ્ટ ભાગ શિલ્પી દૂર કરે એટલે પત્થર પ્રતિમા બને. તેમ વિભાવદશા દૂર થતાં આત્મા પરમાત્મા બને. ઘરમાં સ્વચ્છતા શી રીતે આવે ? બહારથી સ્વચ્છતા લાવવી નથી પડતી. એ તો અંદર છે જ. માત્ર તમે કચરો કાઢો એટલે સ્વચ્છતા હાજર. આત્મામાંથી કર્મનો કચરો કાઢો એટલે પરમાત્મા હાજર....! છાપાં, T.V. ઈત્યાદિ તમને કચરો નથી લાગતો? જુનો કચરો તો છે જ. ફરી નવો કચરો શા માટે નાખવો? આત્માને શુદ્ધ બનાવો, કચરો દૂર કરો એટલે સિદ્ધ હાજર. આપણને ભલે આપણી સિદ્ધતાનદેખાય, પણ પ્રભુ આપણી સ્વચ્છતા, આપણી સિદ્ધતા જોઈ રહ્યા છે. પ્રભુ કહે છે તું શા માટે ગભરાય છે? તારી સિદ્ધતા હું મારા જ્ઞાનથી જોઈ રહ્યો છું ને? તું માત્ર પ્રયત્ન કર. * વિષયોનું ધ્યાન સહજ છે, પ્રભુનું ધ્યાન કદી નથી કર્યું. એ માટે પ્રયત્ન કરવો જેટલા સિદ્ધ થયા છે, તે બધા જ અહીંથી જ ત્યાં ગયા છે. આ મનુષ્યલોક સિવાય બીજે ક્યાંયથી ત્યાં જવાય તેમ નથી. ત્યાં જવાની શરત એટલીઃ કર્મનો અંશ પણ ન જોઈએ. કર્મનો એક અણુ પણન ચાલે. બોજવાળાનું ત્યાં કામ નથી. તમે જે ક્ષણે કર્મનો કચરો કાઢો તે જ ક્ષણે (બીજો સમય પણ નહિ. સમય- પએરંતર અણફરસે...') ઉપર જઈને વસો. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૩૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy