SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું ભવિષ્ય છે. બહિરાત્મદશામાં પ્રભુ દૂર છે; ભલે પછી સામે જ સમવસરણમાં કેમ બેઠા ન હોય ! આ દૂરી ક્ષેત્રની નથી, ભાવની છે. ભગવાન ભલે ક્ષેત્રથી દૂર હોય, પણ ધ્યાનથી અહીં જ હાજર છે, જો મન-મંદિરમાં આપણે પ્રભુને પધરાવીએ. કોઈને નવું ધ્યાન શીખવું પડતું નથી. ધ્યાન શીખેલું છે. અલબત્ત, અશુભ ધ્યાન, આર્ત્ત-રૌદ્ર ધ્યાન ! હવે એને શુભમાં બદલવાની જરૂર છે. ‘“ધર્મધ્યાન – શુકલધ્યાન ન ધ્યાયા.’’ અત્યારે શુકલધ્યાનનો અંશ પણ ન આવી શકતો હોત તો આમ લખ્યું ન હોત! ‘શરીર હું છું’ – બહિરાત્મા, ‘આત્મા હું છું’ - અંતરાત્મા, B ‘પરમ ચૈતન્ય હું છું’ (કર્મો જતા રહ્યા છે.) – પરમાત્મા. વિષય – કષાયોનો આવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણ દ્વેષ, (પોતાનામાં તો ગુણ ન હોય, ગુણીનો પણ દ્વેષ હોય.) આત્માનું અજ્ઞાન – આ બધા બહિરાત્માના લક્ષણો છે. તત્ત્વશ્રદ્ધા, આત્મજ્ઞાન, મહાવ્રતોનું ધારણ, નિરતિચાર પાલન, અપ્રમાદ, આત્મજાગૃતિ, મોહનો જય (પરમાત્માને ક્ષય હોય.) આ બધા અંતરાત્માના લક્ષણો છે. મોહનો ઉદય ઃ બહિરાત્મા : ૧ થી ૩ ગુણસ્થાનક. મોહનો જય ઃ અંતરાત્માઃ ૪ થી ૧૨ ગુણસ્થાનક. મોહનો ક્ષય ઃ પરમાત્મા ઃ ૧૩ ૨૪ Jain Education International - ૧૪ ગુણસ્થાનક + મુક્તિ For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jalla.ibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy