SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવાર, ૧૪-૧૦-૯૯. . -ઇ. * ભગવાન ભલે નથી, પણ એમના તીર્થના, નામના, આગમના અને મૂર્તિના આલંબનથી આપણે ભવ-સાગર તરી શકીએ. નાના બાળકને માતા-પિતાનું આલંબન જરૂરી છે. એમના ટેકાથી જ તે ચાલી શકે. ભગવાન પાસે આપણે સૌ બાળ છીએ. ભગવાન જે રીતે પોતાનામાં વ્યક્તરૂપે જ્ઞાનાદિ સમૃદ્ધિ જોઈ રહ્યા છે, તે જ રીતે શક્તિરૂપે તમામ જીવોમાં પણ જોઈ રહ્યા છે. ભગવાનમાં જે વૃક્ષરૂપે છે. સર્વ જીવોમાં તે બીજરૂપે છે. * સાધુનું કોઈપણ અનુષ્ઠાનસમતાપૂર્વકનું હોય, તે બતાવવા જ દિવસમાં નવવાર સામાયિકનો પાઠ આવે છે. દીક્ષા વખતે પણ પ્રથમ આ જ પ્રતિજ્ઞા લેવામાં આવી છે. ગુલાબજાંબુ જાણવા અલગ ચીજ છે, તેનો સ્વાદ માણવું અલગ ચીજ છે. સામાયિક જાણવું અલગ વાત છે. સામાયિક માણવું અલગ વાત છે. પુદ્ગલોનો ભવોભવનો અનુભવ છે. ગાઢ સંસ્કાર હોવાના કારણે આપણે તરત જ પુદ્ગલો તરફ ખેંચાઈ જઈએ છીએ. જ્યારે સામાયિકના સંસ્કાર હવે પાડવાના છે. * જ્ઞાનસાર અદ્ભુત ગ્રન્થ છે. તમે એનું ચિંતન-નિદિધ્યાસન કરતા રહેશો તેમ .... કહે કલાપૂર્ણસૂરિ ૩૩૮ ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy