SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ - સોડાઈ છે. આ ભા. વ. ૯, સવાર, તા. 3-૧૦-૯૯ * માતા-પિતા તરફથી આપણને સહજ રીતે જ કેટલાક સંસ્કારો એવા મળ્યા છે કે, જે કદી ભૂંસાઈ શકે નહીં જૈન કુળમાં જન્મેલો સ્વાભાવિક રીતે જ શિકાર, માંસ, મદ્ય આદિથી દૂર રહે, એ સહજ લાભ છે. જો આપણે કોઈ માંસાહારી કુળમાં જનમ્યા હોત તો? જરા કલ્પના તો કરી જુઓ! | સર્વ પ્રથમ માતા-પિતાએ આપણને સ્કુલમાં મોકલ્યા, ત્યાં આપણને પહેલી માતા મળી, વર્ણમાતા! અ થી હસુધીના અક્ષરો વર્ણમાતા છે. આ વર્ણમાતાને ગણધરો પણ નમે છે. ભગવતી સૂત્રના પ્રારંભમાં આ વર્ણમાતાને નમો વંતિવી' કહીને ગણધરો દ્વારા નમસ્કાર કરવામાં આવ્યો છે. બ્રાહ્મી લિપિના આદ્યપ્રણેતા ભગવાન શ્રી ઋષભદેવ છે. લિપિ ભલે ભગવાને પ્રગટ કરી, પણ અક્ષરો તો શાશ્વત જ છે. ‘ન ક્ષતિ રૂતિ અક્ષરમૂ' એવી અક્ષરોની વ્યાખ્યા કરવામાં આવી છે એટલે કે અક્ષરો અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાના છે. ભગવાને માત્ર ભૂલાઈ ગયેલી આ વાતને પ્રગટ કરી. ભગવાન ઋષભદેવ આ જગતના સૌથી પહેલા શિક્ષક છે. જો એમણે સભ્યતા, શિક્ષણ અને સંસ્કૃતિની સ્થાપના ન કરી હોત તો માનવ-જાત આજે જંગલી હોત! માનવને સભ્ય બનાવનાર આદિનાથજી હતા. અક્ષરોમાંથી જ બધું જ્ઞાન ઉત્પન્ન થાય છે. કોઈપણ ધર્મશાસ્ત્ર, કોઈપણ ધર્મદેશના કે કોઈપણ પ્રકારનું પુસ્તક આઅક્ષરોના માધ્યમથી જ પ્રગટ થાય છે. માટે જ વર્ણમાલાને કહે કલાપૂર્ણસૂરિ ... .. ૨૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy